પ્રધાનમંત્રી મોદી નો મોટો નિર્ણય, આજે રાત્રે 8 વાગ્યે…

છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા પછી ઘણા લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. એવી જ રીતના સંસદમાં પણ આ બીલ પાસ થઈ ચૂક્યું છે.

પરંતુ 370 કલમ હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યો નથી, પરંતુ આજે એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે એટલે કે આજે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે.

PMO દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અનુસાર પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે.

ફરી પાછો ઐતિહાસિક સમય જાણે સામે આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી પાછલા દિવસોમાં કાશ્મીર મુદ્દે લેવામાં આવેલા સરકારના નિર્ણય ઉપર દેશને જાણકારી આપશે. પરંતુ જો કે આ સંબોધનમાં શું કહેવાના છે હજુ તેની જાણકારી પ્રાપ્ત થઇ નથી.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને આર્ટીકલ 370 હટાવીને અને લદ્દાખ ને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કરવામાં આવ્યા પછી પાકિસ્તાન સાથેના સંબંધોમાં ફરીથી ફેરફાર થઇ ચૂક્યો છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts