Site icon Just Gujju Things Trending

આલિયાના ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, પાછલા છ મહિનાથી કરી રહી છે આ ગંભીર બીમારીનો સામનો

બોલીવુડ ફિલ્મ જગતમાં ટૂંક સમયમાં પોતાનું નામ બનાવવું તે આસન વાત નથી, અને ટૂંક સમયમાં પોતાની અલગ ઓળખાણ બનાવનારા અભિનેતાઓ અને અભિનેત્રીઓ માં બહુ ઓછા નામ આવે છે. એમાં જ એક નામ આલિયા ભટ્ટ નું પણ આવે છે. જેને પોતાની બોલિવૂડમાં અલગ જ ઓળખાણ બનાવી છે.

જણાવી દઈએ કે હાલમાં જ આ અભિનેત્રીને ફિલ્મફેરનો સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે, આ એવોર્ડ અભિનેત્રીને રાજી ફિલ્મ માટે મળ્યો છે. આ એવોર્ડ મળવાથી તે અભિનેત્રી હાલમાં ખુશ છે. અને હાલમાં તેની કારકિર્દી ટોચ પર છે તેમ પણ કહી શકાય કારણ કે તેની બે મહત્વની ફિલ્મો પણ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે, જેમાં બ્રહ્માસ્ત્ર અને કલંક શામેલ છે.

હાલમાં જ તેને પોતાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તે માનસિક પરેશાનીમાંથી પસાર થઈ રહી હતી. આ અભિનેત્રી એ જણાવ્યું હતું કે તેની સાથે જે પણ કાંઈ થઈ રહ્યું છે તે માનસિક તણાવ નહીં પરંતુ કંઈક બીજું જ હતું.

ઍન્ગ્ઝાયટી એટલે કે ચિંતા વિશે તેને જણાવ્યું હતું કે હું ડીપ્રેસ્ડ નથી પરંતુ મને ચિંતા બહુ વધારે થાય છે, અને આ આવતી જતી રહે છે. તેઓએ માન્યુ કે આ બીમારી થી તે 5-6 મહિનાથી પસાર થઈ રહી છે. તેઓને નોર્મલ મહેસુસ થતું નથી, તેને પોતાની બહેન શાહીન નો પણ આભાર માન્યો હતો તેને કહ્યું કે તેના કારણે જ તે બધી વસ્તુને લઈને ઘણી જાગૃત રહે છે.

આલિયાએ જણાવ્યું હતું કે હું તેને મહેસુસ કરું છું તો ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે હું કોઈપણ કારણ વગર રહી છું. પરંતુ થોડા સમય પછી બધું પહેલાની જેમ નોર્મલ થઇ જાય છે. તેને માન્યુ કે શરૂઆતના સમયમાં તે ઘણી કન્ફયુઝ રહેતી હતી. અને તે એવું બહાનું બનાવતી કે આ બધું તેની સાથે એટલે થઈ રહ્યું છે કારણકે તેને વધારે કામ કરવું પડે છે. પરંતુ બાદમાં કારણ કંઇક બીજુ જ નીકળ્યું.

હાલ તો તેના અફવા મનાતા બોયફ્રેન્ડ રણબીર સાથે અફેરને લઈને તે ચર્ચામાં રહે છે, અને તે તેની સાથે ફિલ્મ પણ કરી રહી છે. આવનારી તેની બંને ફિલ્મ તેની કારકિર્દીમાં વિશેષ મહત્વ ધરાવે છે, અને જો આ ફિલ્મો સફળ જાય તો તેની કારકિર્દી વધુ શાનદાર બની જશે એ વાતમાં કોઈ શંકા ને સ્થાન નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version