Site icon Just Gujju Things Trending

જો મહાદેવને ચઢાવવામાં આવે આ એક વસ્તુ તો સ્વયં મહાદેવ ધનવાન બનાવે છે

આપણા માટે લગભગ દરેક લોકોને ખબર હશે કે મહાદેવ ને દેવોના દેવ પણ કહેવામાં આવે છે. એટલે કે દરેક દેવો પણ મહાદેવને પૂજતા હોય છે. અને કહેવાય છે કે મહાદેવને પ્રસન્ન કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને ભોળા દેવતા હોવાથી જ આને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. લગભગ ભોળેનાથ એટલે કે મહાદેવ દરેક લોકોની મનોકામના પૂરી કરતા હોય છે, પરંતુ જો આર્થિક સમસ્યાઓ હોય તો સોમવારે અમુક નાના ઉપાયો કરવાથી પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે.

અને એટલું જ નહીં આ ઉપાયોને શિવપુરાણની મોહર પણ લાગેલી છે, એટલે કે આ ઉપાયો નો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરાયો છે. આ ઉપાયને વિધિપૂર્વક તેમજ નિયમિત કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને આપણે ધનવાન બની શકીએ છીએ.

ચાલો જાણીએ કે કયો છે ઉપાય અને કઈ રીતે કરવાનો છે આ ઉપાય

સોમવારના દિવસે આપણે બધા લગભગ મહાદેવની પૂજા કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ હોવાથી ઘણા બધા લોકો તેની પૂજા અર્ચના કરતા હોય છે.

ઉપાય કરવા માટે સોમવાર ના દિવસે એક ઘી નો દિવો સંધ્યા ટાણે પ્રગટાવવો જોઈએ અને તેમાં એક લવિંગ પણ ઉમેરવું. આટલુ કર્યા પછી શિવજી ના મંત્ર થી તેની આરાધના કરવી જોઈએ. શિવજી ના મંત્ર બોલીને આરાધના અવશ્ય કરવી. પરંતુ જો તમને શિવજી ના મંત્ર કે જાપ આવડતા ન હોય તો માત્ર ॐ નમઃ શિવાય બોલવાથી પણ એટલો જ પ્રભાવ પડે છે.

આરાધના કર્યા પછી ભગવાન શિવ પાસેથી પોતાના આર્થિક સંકટો ને દુર કરવા ની પ્રાર્થના કરતા કરતા શિવ પુજા કરવી. આવી રીતના નિયમીત પણે ૧૧ સોમવાર સુધી આ ઉપાય કરવાથી નિશ્ચિત દરેક ને આર્થિક લાભ પ્રાપ્ત થશે. અને બધા સંકટો દુર થાય છે.

જો તમે પણ ભગવાન શિવ એટલે કે મહાદેવ માં માનતા હોવ તો હર હર મહાદેવ કમેન્ટ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version