Site icon Just Gujju Things Trending

નેહા કક્કર થઈ ભાવુક,બોયફ્રેન્ડ સાથે બેકઅપ થતા તૂટી પડી

નેહા કક્કર અને હિમાંશ કોહલી એકબીજાના પ્રેમમાં હતા એ તો બધા લોકો જાણતા હતા પરંતુ આ વાત ઓફિસિયલ ત્યારે થઈ જયારે એ બનેઓએ એકબીજાને ઈન્સટાગ્રામ પર મેસેજ કરવા લાગ્યા અને એકબીજાના ફોટા પર કમેન્ટ પણ કરતા, પરંતુ તે બંને વચ્ચે સંબંધ છે તેવી અફવાઓ ગત વર્ષે વેલેન્ટાઇન પછી ફેલાવા લાગી હતી, ત્યાર પછી હમણાં સપ્ટેમ્બરમાં નેહા જે શો ની જજ છે તે શો માં એક નાનકડો પાર્ટ બનાવવામાં આવ્યો હતો જેને નેહા નો સ્વયંવર કહેવાયું હતું. જેમા કહેવાની જરૂર નથી કે નેહા નું દિલ કોને જીત્યું હશે.

પરંતુ બંનેના આ કન્ફેશન પછી ત્રણ મહિનામાં જ કંઈક એવું થઈ ગયું જે કદાચ આ બંને માટે અણધાર્યો હશે. વાત જાણે એમ છે કે નેહા અને હિમાંશ એકબીજાને ચાહતા હતા તે વાત તો બધાને ખબર હતી પરંતુ હાલમાં તેઓએ બીજાને ઇન્સ્ટાગ્રામ પર unfollow કરી દીધા છે, અને આને કારણે તેના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

પરંતુ જ્યારે સ્પોટબોય દ્વારા નેહા નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેના સંબંધ વિશે ત્યારે નેહાએ કહ્યું કે કોણ હિમાંશ ? હું કોઈ હિમાંશ ને જાણતી નથી. આટલું કહીને કહ્યું હતું કે લિવ મી અલોન પ્લીઝ. તેના આવા જવાબથી ચાહકો થી માંડીને દરેક લોકોને આશ્ચર્યજનક લાગી રહ્યું છે.

આ બન્નેનું બ્રેકઅપ થયા પછી નેહા એ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને તેના દર્દ ને વ્યક્ત કર્યો હતો. અને માત્ર એક સ્ટોરી નહીં પરંતુ તેને એક પછી એક સ્ટોરી મૂકી હતી જેમાં પોતાની અંદરની લાગણી ને શબ્દોમાં વ્યક્ત કરી હતી.

તેણે સ્ટોરી માં લખ્યું હતું કે મને ખબર ન હતી કે આ દુનિયામાં આવા ખરાબ લોકો પણ હોય છે, પરંતુ બધુ ખોઈને પણ હોશ માં અત્યારે આવ્યા તો શું થયું..

આગળ બીજી સ્ટોરી માં લખ્યું હતું કે હું જાણું છું કે હું સેલિબ્રિટી છું, મારે આવું કંઈ લખવું જોઈએ નહીં પરંતુ હું એક માણસ પણ છું. અને આજે હું ખૂબ જ વધારે તૂટી ગઈ આથી મારી લાગણી પર કાબૂ રહી શક્યો નહિ.

મેં તને બધું મારું આપ્યું, પરંતુ બદલામાં મને શું મળ્યું…… કહી પણ ના શકું કે શું મળ્યું…

આ પછી પણ તેને કહ્યું હતું કે હવે બધા લોકો મારા વિશે વાત કરવા લાગશે અને મને જજ કરવા લાગશે પરંતુ મારા વિશે કંઈ એલફેલ પણ બોલશે પરંતુ હવે મને એનાથી કોઈ ફરક પડતો નથી કારણકે મને આદત પડી ગઈ છે. સેલિબ્રિટીઓ ને જીવનમાં બે જ હોય છે તેમાં એક તેનો પોતાનો ચહેરો અને એક પ્રોફેશનલ ચહેરો. ભલે કોઈપણ સેલિબ્રિટી અંદરથી ગમે તેટલો તૂટી ગયેલો હોય પરંતુ બહારથી તેનો ચહેરો હસતો જોવા મળે છે.

જણાવી દઈએ કે આ પહેલી વખત એવો નથી કે નેહા પોતાની લાગણી ને લઈને સમાચાર બની હોય, નેહા કાયમથી લાગણીશીલ જ રહી છે. આની પહેલા પણ જ્યારે ઈન્ડિયન આઈડોલના રડતા ચેહરા ને કારણે તે મજાકનો ભોગ બની હતી ત્યારે પણ તેણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે હું મારી લાગણીઓ કંટ્રોલ કરી શકતી નથી, આથી હું રડી પડું છું. અને હું જેવી પણ જો તે આવી જ છું. બ્રેક-અપ પછી પણ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા શોમાં રડી પડી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version