Site icon Just Gujju Things Trending

“ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” ફિલ્મ પડી વિવાદોમાં, પણ શું કામ? આ છે કારણો

અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે પરંતુ જેવું ટ્રેલર રિલીઝ થયું કે દેશની રાજનીતિ જાણે ગરમાઈ હોય તેવું લાગે છે. આ ફિલ્મમાં પૂર્વ પ્રધાન મંત્રી ડૉ.મનમોહન સિંહ ના કાર્યકાળ વખતે થયેલી ઘટનાઓ ને દર્શાવવામાં આવી છે, તેમજ આખી ફિલ્મ રાજનીતિ ને લગતી છે. આ ફિલ્મ એક પુસ્તક આધારિત છે, જેમાં એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર એટલે કે અકસ્માતે બનેલા પ્રધાનમંત્રી તરીકે ડોક્ટર મનમોહનસિંઘને રજૂ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પૂર્વ પ્રધાનમંત્રી નું પાત્ર અનુપમ ખેરે નિભાવ્યું છે. પરંતુ આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયા પછી કોંગ્રેસ ના અન્ય નેતાઓ ફિલ્મને બીજેપીનો એજન્ડા જણાવે છે. તો બીજેપી આ ફિલ્મને સાચી ગણાવી રહી છે.

પરંતુ સવાલ એ ઉભો થાય છે કે આ ફિલ્મને લઈને શું કામ આટલો બધો વિવાદ ઊભો થયો છે?

ડોક્ટર મનમોહનસિંહ એ 2004 થી લઈને 2014 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા, એટલે કે 10 વર્ષ સુધી તેઓ પ્રધાનમંત્રી રહ્યા હતા. આ દરમિયાન ઘણી પાર્ટીઓએ આ પ્રધાનમંત્રી ને રિમોટ કંટ્રોલ વાળા પ્રધાનમંત્રી તરીકે જણાવવામાં આવ્યું હતું। એવું પણ વિપક્ષો દ્વારા કહેવાયું હતું કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા અનુસાર તત્કાલીન પ્રધાનમંત્રી કામ કરતા હતા.

તદુપરાંત જ્યારે ડોક્ટર મનમોહન સિંહ ને આ ફિલ્મનું ટ્રેલર જોયા પછી ના રિએક્શન વિશે પૂછવામાં આવ્યું, તો તેને એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ અને તે ત્યાંથી જતા રહ્યા.

હવે આ ફિલ્મ રિલીઝ થવાની હોય ઘણી રાજનૈતિક પાર્ટી ઉત્સાહી દેખાય છે, જ્યારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એ જવાબ ન આપ્યો તેથી તેનો શું સંકેત હોઈ શકે તે જાણી શકાય નહીં।

જણાવી દઈએ કે આ ફિલ્મ છે પુસ્તક ઉપર આધારિત છે તે પુસ્તક સંજય બારુ એ લખેલું છે જે અંદાજે ચાર વર્ષ સુધી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહન સિંહ ના મીડિયા એડવાઈઝર રહ્યા હતા.

એટલું જ નહીં આ પુસ્તક જેમણે લખેલું છે તે સંજય બારુ જ્યારે પુસ્તક આવ્યું હતું ત્યારે પણ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પુસ્તક પણ વિવાદોમાં રહ્યું હતું અને આ પુસ્તક માટે પણ તેને ઘણી રચના આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે બીજી બાજુ આ ફિલ્મનું ટ્રેલર જોઈને કહી શકાય કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની છબીને ખોટી રીતે સામે લાવવામાં આવી હોઈ શકે, આને લઈને કોંગ્રેસ પરેશાન પણ નજરે આવી રહી છે, જ્યારે ચૂંટણી વખતે જો આ ફિલ્મ રિલીઝ થાય તો આ ફિલ્મ પણ એક મોટો મુદ્દો બની શકે છે.

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુથ કોંગ્રેસ મહારાષ્ટ્ર પોતાનો વિરોધ વ્યક્ત કરતા એવું પણ જણાવ્યું હતું કે ફિલ્મને રિલીઝ કરતા પહેલા તેઓને દેખાડવામાં આવે અને તથ્યોને ખોટી રીતે બતાવવામાં આવ્યા હોય તેવી વસ્તુઓને હટાવવામાં આવે. યુથ કોંગ્રેસ મહારાષ્ટ્રનો આરોપ છે કે ફિલ્મ બનાવનારાઓએ ફિલ્મમાં તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે.

આથી આ બધા કારણોસર હાલ ફિલ્મનો વિવાદ ચાલી રહ્યો છે, જો કે ટ્રેલર ઉપરથી ફિલ્મ કેવી છે તેના વિશે અંદાજો લગાવી શકાય નહીં. અને આ ફિલ્મ હાલમાં તો 11 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે એવું જણાવવામાં આવ્યું છે.

જુઓ ટ્રેલર:

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version