F-16 ને જોઈને સૌથી પહેલા કહી હતી અભિનંદને આ વાત, જાણીને ગર્વ થશે

પુલવામા માં થયેલા હુમલા પછી ભારત નોન મિલિટરી એકશન કરીને તેનો બદલો લીધો હતો. જેના કારણે વિફરેલા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય એર સ્પેસ નું ઉલ્લંઘન કરીને પાક લડાકુ વિમાનો ભારતમાં ઘૂસ્યા હતા.

ભારત એ આના જવાબમાં તુરંત જ તેને પાછા મોકલવા માટે વીમાનો મોકલ્યા હતા, અને ગણતરીની મિનિટોમાં જ આપણા વિમાનોએ આ વિમાનોને પાછા ભગાડી દીધા હતા. ખુશખબર એ હતી કે પાક વીમા નો ને પાછા તો ભગાડી દીધા હતા પરંતુ સાથે સાથે તેના એક F-16 વિમાનને પણ તોડી પડાયું હતું. પરંતુ દુર્ભાગ્યથી આપણું એક વિમાન ક્રેશ થયું હતું, જેમાંથી વિંગ કમાન્ડર અભિનંદન એ સુરક્ષિત રીતે ઇજેક્ટ તો કરી નાખ્યું હતું. પરંતુ તેઓ Drift થઈને પાકિસ્તાન અધિકૃત કશ્મીરની સીમામાં લેન્ડ થયા હતા. જ્યાં તેને પાકિસ્તાન આર્મી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

૬૦ કલાક પછી ભારત પાછા ફરી ચૂકેલા અભિનંદન હાલમાં તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે તેવું સામે આવ્યું હતું. અભિનંદન ને લઈને ધીમે-ધીમે ઘણી જાણકારીઓ આવી હતી.

જેમકે પાકિસ્તાનમાં લેન્ડ થયા પછી તેની બહાદુરી ની વાતો પણ સામે આવી હતી, જેમાં અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને કઈ રીતે mob નો પીછો છોડાવ્યો અને તેની બહાદુરી ની બીજી પણ ઘણી વાતો સામે આવી હતી.

એક હિન્દી વેબસાઈટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે લડાકુ વિમાન લઈને 15 હજાર ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યા હતા ત્યારે અભિનંદન ની નજર ભારતીય સીમામાં ઘુસેલા પાકિસ્તાનના ફાઈટર જેટ F-16 ઉપર પડી. આજે વિમાન 8000 ફૂટની ઉંચાઇ પર નૌશેરા સેક્ટરમાં થી અંદર દાખલ થયું. અભિનંદન એ તરત જ પોતાના સાથીઓ ને રેડિયોમાં એક મેસેજ મોકલ્યો કે “આને હું ખદેડી નાખીશ, આ મારો શિકાર છે”

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts