Site icon Just Gujju Things Trending

ખાલી સાત દિવસ સુધી રાત્રે સૂતી વખતે અજમો ચાવીને ઉપર ગરમ પાણી પી લો, આવા છે ફાયદાઓ

અજમો એ ખરેખર ખૂબ જ સારી ઔષધિ છે એ તમને ખબર જ હશે. નાના બાળકોને શરદી થઇ હોય ત્યારે મોટાભાગના ઘરોમાં તેને અજમો અપાતો હશે. કારણકે અજમા મા નાના-મોટા દરેક ની શરદી ને ભગાડવા ની તાકાત છે. આ સિવાય અજમામાં દરેક પ્રકાર નું અન્ન પચાવવાની તાકાત હોય છે.

અજમો એટલો ફાયદો પહોંચાડે છે કે આયુર્વેદમાં આને ઘરમાં છુપાયેલ વૈદ્ય પણ કહેવાયું છે. ગરમ પ્રકૃતિવાળા માટે આ હાનિકારક હોય છે. અજમાની પ્રકૃતિ ગરમ છે. આથી તેનો ઉપયોગ કરવામાં ધ્યાન રાખવું જોઈએ.

રાત્રે અજમાને હલકો શેકીને ચાવી ચાવીને ખાવો જોઈએ. તેમ જ તેની ઉપર ગરમ પાણી પીવું જોઈએ. જેનાથી ઘણા બધા પ્રકારના લાભ મળે છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે

કમર દર્દ માં રાહત- ઘણા લોકોને કમરનો દર્દ કાયમ રહેતો હોય છે. અને આ પ્રકારનો પ્રયોગ કરવાથી કમરદર્દમાં રાહત મળે છે.

આ સિવાય સવારે પેટ સાફ કરવામાં પણ આ પ્રયોગ ખૂબ ઉપયોગી છે. આ પ્રયોગ નિયમિત કરવાથી સવારે પેટ સાફ થઈ જાય છે.

નિયમિત અજમાનું પાણી પીવાથી ડાયાબીટિઝનો ખતરો ઘણા અંશે ઓછો થઈ જાય છે. આ સિવાય બીજી ઘણી બધી બીમારીઓથી પણ દૂર રહી શકાય છે.

જ્યારે શરદી થઈ હોય ત્યારે અજમાના પાણીમાં થોડા તીખા નો ભૂકો મિક્સ કરીને શરદી, ઉધરસ, તાવ તેમ જ કફ જેવી બિમારીઓથી રાહત મળે છે.

જો રાતના નિંદ્રા ન આવતી હોય તોપણ આ પ્રયોગ કરવાથી આપણ ને નીંદર સારી આવી જાય છે. આ સિવાય અજમાના ઘણા બધા લાભ છે જેને આપણે બીજા લેખમાં જણાવીશું. આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો…

All images used for representation purpose only.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

શું તમે જાણો છો 200 KGs અડદિયા એકસાથે કેમ બને? જુઓ અડદિયા બનાવવાની સંપુર્ણ પ્રોસેસ બતાવતો રસપ્રદ વિડીયો ???

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version