Site icon Just Gujju Things Trending

અમરસિંહના અવસાન ઉપર પરેશાન થયેલા બિગ બીએ ટ્વીટર પર આવી પ્રતિક્રિયા આપી, તેને ટ્વીટ થઈ વાયરલ

ભારતની રાજનીતિ નો જાણીતો ચહેરો અને રાજ્યસભાના સાંસદ અમરસિંહનો 64 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી હતી.

જણાવી દઈએ કે સિંગાપુરની હોસ્પિટલમાં અમરસિંહ તેઓના અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેનો ઈલાજ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આવામાં બોલિવૂડના બીગ બી એ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી, હકીકતમાં અમિતાભ બચ્ચન એક માથું ઝુકાવી તસવીર શેર કરી હતી અને આ તસવીર ની સૌથી મોટી વાત તો એ છે કે આ તસવીરને શેર કરતી વખતે તેઓએ કોઈ પણ શબ્દ નો ઉપયોગ કર્યો ન હતો, બોલિવૂડના મહાનાયક ની આ ટ્વિટ થોડા સમયમાં વાયરલ થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને અમરસિંહ વચ્ચે પહેલા ખૂબ જ સારી મિત્રતા હતી.

અમરસિંહ ઘણા દિવસોથી બીમાર હતા અને તેઓનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેઓ લગભગ પાછલા દોઢ મહિના જેટલા સમયગાળાથી આઈસીયુમાં હતા. ગઈકાલે તેઓએ ટ્વિટ કરીને બધા લોકોને ઇદની શુભકામનાઓ પણ આપી હતી.

જણાવી દઈએ કે રાજનીતિની સાથે સાથે ફિલ્મી સિતારો સાથે પોતાની નજીક તા ને કારણે તેઓ ઘણી વખત ચર્ચામાં પણ રહેતા હતા. ખાસ કરીને બચ્ચન પરિવાર સાથે એક સમય એવો હતો જ્યારે અમરસિંહ અને બચ્ચન નો પરિવાર ખુબ જ નજીક માનવામાં આવતો હતો.

અમિતાભ બચ્ચન ની પત્ની જયા બચ્ચનને પણ રાજનીતિમાં તેઓ લઈને આવ્યા હતા. આ સિવાય અમરસિંહ નિધન થતા તેને સોશિયલ મીડિયા પર ઘણી શ્રદ્ધાંજલિઓ મળી હતી બોલીવુડ તેમજ રાજનીતિક હસ્તીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version