અમૃતસર ટ્રેન અકસ્માત: રાવણ બનેલાએ ઘણાની જીંદગી બચાવી, ખુદને જ ન બચાવી શક્યો

શુક્રવારે થયેલ અમૃતસરના સૌથી મોટા ટ્રેન અકસ્માતમાં 50 થી વધુ વ્યક્તિઓની મૃત્યુ થઇ છે, અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ વચ્ચે ત્યાં રામ લીલા માં ભાગ લીધેલા અને રાવણ બનેલા દલબીર સિંહ નું પણ મૃત્યુ થયું હતું.

ત્યારે આ ઘટના ઘટી ત્યારે દલબીર ટ્રેનના ટ્રેક પર મોજૂદ હતા. એવું જણાવાઈ રહ્યું છે કે રાવણ બનેલા દલબીર ને ખબર પડી ગઈ હતી કે ટ્રેન આવી રહી છે, આવામાં તેને ત્યાંથી લોકોને હટાવવાની કોશિશ પણ કરી. પરંતુ એટલામાં જ ટ્રેન આવી ગઈ અને આ દુર્ઘટનાનો શિકાર તેઓ પોતે પણ થઈ ગયા.

દલબીરસિંહ ઘણા વર્ષોથી રામાયણમાં રાવણ તરીકે કામ કરતા હતા, એમાં છેલ્લા દિવસે રામલીલાનું મંચ પૂરો થયો પછી થોડા સમય પછી તેઓ રાવણ દહન જોવા ગયા હતા. તેના મોટા ભાઈએ જણાવ્યું હતું કે દલબીર ને ટ્રેન આવતી દેખાઈ હોવાથી લોકોને ટ્રેક પરથી હટવા નું કહ્યું. અને ખેંચીને ઘણા લોકોની જિંદગી બચાવી પરંતુ તે પોતે ન બચી શક્યા. દસ વર્ષ પહેલા આ જ ટ્રેક પર તેના દ્રષ્ટિહીન પિતાની પણ મૃત્યુ થઈ હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts