Site icon Just Gujju Things Trending

બિલાડી સાથે જોડાયેલા શુભ-અશુભ સંકેત – જાણો અને શેર કરજો

આજકાલ ઘણા ઘરમાં બિલાડી પાળવામાં આવે છે. આપણે બધાએ બિલાડીના લઈને ઘણા સંકેતો સાંભળ્યા હશે, ખાસ કરીને આપણા વડીલ પાસેથી તેના વિશે ઘણું જાણવા મળે છે. જેમકે કહેવાય છે કે કાળી બિલાડી વચ્ચે આવી જાય તો રસ્તો ઓળંગવો જોઈએ નહીં. ચાલો જાણીએ તેના વિશે જોડાયેલી અમુક અજાણી વાતો વિશે.

નારદ પુરાણ પ્રમાણે જો બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. જો બિલાડી ઘરમાં આવે તો કંઈક અશુભ થવાનો સંકેત હોઈ શકે છે કારણકે તેને નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે.

જો આપણા ઘરમાં અચાનક થી બિલાડીનું આવવાનું વધી જાય તો તેને સામાન્ય વાત સમજીને ઈગ્નોર ન કરવું જોઈએ. કારણકે આ એક સંકેત પણ હોઇ શકે છે.

નારદપુરાણમાં માનવામાં આવે છે કે બિલાડી ના પગની ધૂળ જ્યાં પણ ઉડે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે એટલે કે શુભ નો નાશ થઈ જાય છે.

જો કોઈ પણ ઘરમાં બિલાડી વારંવાર આવજાવ કરે છે તો તે ઘરમાં રહેનારાનું સ્વાસ્થ્ય માં ઉતાર-ચઢાવ આવતો રહેતો હોય છે.

એવું પણ માનવામાં આવે છે કે જમતી વખતે જો બિલાડી આવીને જુવે તો મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો ને ત્યાં કોઈ અશુભ ઘટના બને ત્યારે બિલાડી આવવાની જગ્યાએ તેની પાલતુ બિલાડી પણ ઘરથી ભાગી જાય છે. આનું કારણ એ પણ હોઈ શકે કે બિલાડીઓની છઠ્ઠી ઇન્દ્રિય ઘણી સક્રિય હોય છે જેથી તેને પૂર્વાભાસ થઈ જાય છે.

આ માન્યતા લગભગ બધાને ખબર હશે કે કાળી બિલાડી રસ્તો કાપે તો અશુભ માનવામાં આવે છે. પરંતુ જ્યારે બિલાડી ડાબેથી જમણે જાય ત્યારે જ અશુભ માનવામાં આવે છે. અન્ય સ્થિતિઓમાં બિલાડીઓનું રસ્તા કાપવાનું અશુભ મનાતું નથી.

જો બિલાડીઓ આપસમાં ઝઘડા તો તેને ગૃહ ક્લેશ નો સંકેત માનવામાં આવે છે. જો કોઈના ઘરમાં બિલાડી ઓ ઝઘડી રહી હોય તો તે ઘરમાં જલ્દી જ ક્લેશ થઈ શકે છે.

એવી પણ લોક માન્યતા છે કે જો દિવાળીની રાત્રે બિલાડી ઘરમાં આવે તો તેને શુભ ગણવામાં આવે છે. આ સિવાય બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે તો તેને પણ સારું માનવામાં આવે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version