ચંદ્રયાન-2: વૈજ્ઞાનિકો ને કહ્યું તમે માખણ નહીં, પથ્થર પર લકીર ખેંચવાવાળા છો. જુઓ વિડિયો

ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ જ્યારે ચંદ્ર ની સપાટી તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે અચાનક સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે ISRO ના વૈજ્ઞાનિકો સહીત ત્યાં હાજર સૌ લોકોમાં ચહેરા ઉપર જાણે સન્નાટો વ્યાપી ગયો હતો, એવામાં પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં હાજર હતા. તેઓને જ્યારે આ વાતની જાણ કરવામાં આવી ત્યારે તેઓએ પણ વૈજ્ઞાનિકોનો હોસલો વધાર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા રાખે છે, તેઓએ આગળ ઉમેર્યું હતું કે હિંમત ક્યારે ન હારવી જોઈએ.

ત્યાર પછી આજે સવારે ઇસરોના કંટ્રોલ સેન્ટર થી દેશને સંબોધિત કરીને પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિકોના સાહસ અને જુસ્સાને વધાર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો નું સાહસ વધારતાં કહ્યું હતું કે, આજે ભલે થોડી અડચણ નો સામનો કરવો પડયો હોય પરંતુ આનાથી આપણું સાહસ જરા પણ ઓછું થયું નથી, પરંતુ વધારે મજબૂત થયું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આજે આપણા રસ્તામાં ભલે એક અડચણ આવી પરંતુ એનાથી આપણે મંઝિલ ના રસ્તા થી ડગયા નથી.

પ્રધાનમંત્રી આગળ પોતાની વાત જણાવતા કહ્યું હતું કે આ મિશન સાથે જોડાયેલો દરેક વ્યક્તિ પોતાની એક અલગ જ અવસ્થામાં હતો. અચાનક જ કંઈપણ નજર આવી રહ્યું ન હતું, બધું જ નજર આવવાનું બંધ થઈ ગયું હતું, મેં પણ આપણને તમારી સાથે જીવી છે. આજે ચંદ્ર ને હડકવાની આપણી ઇચ્છાશક્તિ વધુ દ્રઢ બની છે, અને સંકલ્પ વધુ પ્રબળ બન્યો છે.

આગળ પોતાની વાત જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરિણામ થી નિરાશ થયા વગર નિરંતર લક્ષ્ય તરફ આગળ વધવાની આપણી પરંપરા પણ રહી છે અને આપણા સંસ્કાર પણ રહ્યા જ છે. તેઓએ વૈજ્ઞાનિકોનું સાહસ વધારતાં કહ્યું હતું કે તમે લોકો માખણ પર લકીર ખેંચવા વાળા નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. જો શરૂઆતમા આવેલી અડચણ, મુસીબત વગેરેથી આપણે હારી જતા હોત તો આજે ઈસરો દુનિયા ની સફળ સ્પેસ એજન્સીઓમાં એક પણ સ્થાન પ્રાપ્ત ન કરી શકયો હોત.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચંદ્રકાંત ના સફર નો છેલ્લો સમય ભલે આપણી આશા અનુકૂળ ન રહ્યો હોય, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે, જાનદાર રહી છે. દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક સમસ્યા આપણને કંઈક નવું શીખડાવી ને જાય છે.

જુઓ વિડિયો

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team