Site icon Just Gujju Things Trending

ડિસેમ્બરમાં આ દિવસથી થંભી જશે શુભ કાર્યો, જોવી પડશે 30 દિવસની રાહ

હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્ય કરતાં પહેલાં તેનું શુભ મુહૂર્ત જોવામાં આવે છે, મુહૂર્ત જોયા વગર કોઈ શુભ કાર્ય થતું નથી કારણ કે એવું માનવામાં આવે છે કે મુહૂર્તના સમયે ન કરવામાં આવે તો કાર્યોમાં આવી શકે છે. આટલા માટે કોઈપણ શુભ કાર્ય હોય કે માંગલિક કાર્ય હોય તો તેમાં પહેલા સર્વશ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવતું હોય છે.

representational picture

પરંતુ પંચાંગ અનુસાર અમુક મુહૂર્ત શુભ હોય છે તો અમુક હોતા નથી. ત્યારે શુભ મુહૂર્ત ન હોય ત્યારે માંગલિક કાર્યો કરવાથી નુકસાન ભોગવવું પડી શકે છે. એવી જ રીતના અમુક સમય ગાળા દરમ્યાન શુભ કાર્ય વર્જિત છે જેથી આવા દિવસો દરમ્યાન શુભ કાર્યો કરવા જોઈએ નહીં.

આ મહિને એટલે કે ડિસેમ્બરમાં 16 ડિસેમ્બર ની તારીખથી અને તિથિ પ્રમાણે નોમથી આ સમયગાળો શરૂ થશે તો ૧૪ જાન્યુઆરી સુધી આ સમયગાળો જળવાયેલો રહેશે.

representational picture

અને આ સમયગાળા દરમિયાન કોઇ પણ શુભ કાર્ય જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ,Yagnopavit, અતિમુલ્ય વસ્તુની ખરીદી વગેરે વર્જિત માનવામાં આવે છે. આના સિવાય પણ ઘણા શુભ કાર્યોને વર્જિત માનવામાં આવે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય દર ત્રીસ દિવસે એટલે કે અંદાજે એક મહિના પછી રાશિ પરિવર્તન કરે છે.

બાર મહિનામાં આ 12 વખત રાશિઓ પર વિચરણ કરે છે અને જ્યારે સૂર્ય ધન અને મીન રાશિ પર જાય છે ત્યારે આ સમયગાળાને જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવતો નથી.

આથી જ આ દિવસો દરમિયાન લોકો શુભ કાર્ય તો નથી કરતા પરંતુ સાથે-સાથે ભગવાન ને ખુશ કરવા માટે ઘણા પ્રકારના દાન કરતા હોય છે. અથવા ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ને પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુનું પૂજન તેમજ તેનું વ્રત વગેરે કરવું જોઈએ.

સાથે યથાશક્તિ મુજબ અન્ન, વસ્ત્રો, તાંબાના આભૂષણ, સ્વર્ણ, વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version