Site icon Just Gujju Things Trending

રઈસ ની શાહરુખની અભિનેત્રીએ કહ્યું પાકિસ્તાન જિંદાબાદ, પછી ગોપી વહુએ આપ્યો મુહતોડ જવાબ

પુલવામા આતંકી હુમલો થયા પછી જ્યારે વાયુસેનાએ તેનો બદલો લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ત્રણ જગ્યા પર એર strike કરીને શાળા 300 જેટલા આતંકીઓ ને મારી નાખ્યા હતા. આ એર સ્ટાઇલ કર્યા પછી પાકિસ્તાન અને પાકિસ્તાનીઓ ના નિવેદન અને રિએક્શન આવવા લાગ્યા હતા. જેના પછી સોશિયલ મીડિયા ઉપર એક પછી એક ટ્વીટ આવવા લાગ્યા હતા.

પાકિસ્તાની કલાકારોએ પણ હુમલાની નિંદા કરે કે ન કરે પણ સ્થિતિ વણસી એટલે દરેકે પોતાની રીતના ટ્વિટ કર્યા હતા.

બોલીવુડ ફિલ્મ જગતમાં કેટલાય પાકિસ્તાની કલાકારોએ આજ સુધી કામ કર્યું હતું. પણ આ હુમલો થયા પછી હવે પાકિસ્તાની કલાકારોને કામ તો નહીં જ મળે, એટલે પાકિસ્તાની કલાકારો હવે ભારત ભણી કામની આશા રાખી શકે નહીં. એવામાં અમુક કલાકારોએ ટ્વિટ કરી નાખી હતી, જેના કારણે તે ચર્ચામાં આવી ગયા હતા.

શાહરુખ ખાન સાથે Raees ફિલ્મમાં કામ કરનારી અભિનેત્રી માહિરા ખાન પણ ટ્વીટરમાં છે. તેને ટ્વીટ કર્યું હતું કે, “યુદ્ધ માટે જશ્ન મનાવવો તે સૌથી મોટી બેવકૂફી છે, એનાથી વધારે ખરાબ કંઈ નથી. May Sense Prevail. પાકિસ્તાન જિંદાબાદ.” આવુ ટ્વિટ કર્યા પછી તેને ભારતીય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ની લોકપ્રિય અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી એ મુહતોડ જવાબ આપ્યો હતો.

અભિનેત્રી એ જવાબ આપતા કહ્યું કે, “સૌથી ખરાબ તો એ છે કે જો કોઈ પણ લોકો આતંકવાદની વિરુદ્ધ થતા યુદ્ધને ખરાબ માને અને તેની નિંદા કરે. દેશપ્રેમ આપણને આંધળો બનાવી દે છે, આતંકવાદ નહીં.”

જણાવી દઈએ કે સાથ નીભાના સાથીયા માં ગોપી વહુ નું પાત્ર ભજવીને આ અભિનેત્રીના ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ ટ્વિટ કર્યા પછી દેવોલિના સાથે ઘણા લોકો એ સમર્થનમાં પણ ટ્વિટ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી સામે આવીને શાંતિની વાતો કરે છે. ચર્ચા કરવાની વાતો કરે છે, જ્યારે એનાથી વિરુદ્ધ પાકિસ્તાને છેલ્લા બે દિવસમાં લગભગ ૩૦ થી પણ વધુ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી નાખ્યું છે. અને આ ઉલ્લંઘનનો એને બરાબર જવાબ પણ આપણી સેના આપી રહી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version