આજે સુર્ય નું ધન રાશિ માં ગોચર… આ ત્રણ રાશિઓ નું ચમકશે નસીબ

ગ્રહો માં જેને રાજા ગણવામાં આવે છે એ સુર્યનો આજે ધન રાશિ માં પ્રવેશ થશે, જેને કારણે દરેક રાશિ પર એની અસર થશે, આ ગોચર થી અમુક રાશિ ને ખુબ જ લાભ પ્રાપ્ત થશે, જ્યારે અમુક રાશિ ને નુકશાન પણ ભૉગવવું પડી શકે છે. સુર્ય નું દર મહિને ગોચર થાય તેનો પ્રભાવ દરેક રાશિ પર પડે છે. સુર્ય નું ગોચર દરેક રાશિમાં થતુ રહે છે, જ્યારે સુર્ય ધન રાશિ માં પ્રવેશ કરે ત્યારે ખરમાસ લાગે છે એટલે કે હવે પછીના સુર્ય ના ગોચર સુધી શુભ કાર્યો વર્જીત હોય છે. સુર્ય જ્યારે મકર રાશિ માં પ્રવેશે ત્યારે ખરમાસ પુરો થાય છે અને સુર્યના આ પ્રવેશ ને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.

રાશિ પ્રમાણે જાણો કેવો પડશે દરેક રાશિ પર પ્રભાવ

મેષ રાશિ ના જાતકો માટે સુર્ય નવમાં ભાવ માં પ્રવેશ કરશે. આ દરમિયાન આ રાશિ ના જાતકો ને શુભ ફળ પ્રાપ્ત થશે. સુર્ય ને અર્દ્ય આપવાથી લાભ માં વધારો થશે.

વૃષભ રાશિ માં સુર્ય ગોચર ને લીધે અ રાશિના જાતકોએ સાવધાન રહેવું, કારણ કે તેનું ફળ વિરુધ્ધ આવી શકે. ઉપાય અને માનસિક શાંતિ માટે દરરોજ નિયમિત પણે સુર્ય કવચ નો પાઠ કરવો.

મિથુન રાશિ ના જાતકોને આ ગોચર થી ખુબ સારુ ફળ મળશે, જાતકોએ ખાસ ધ્યાન રાખવુ કે પોતાનો સ્વભાવ ક્રોધીત ન રાખવો નહીંતર ફળ વિરુધ્ધ પણ મળી શકે. આ સમયગાળા દરમિયાન ધાર્યા કરતા સારુ ફળ મેળવવા સુર્ય ના સ્ત્રોત નો નિત્ય પાઠ કરવો.

કર્ક રાશિ માં આ ગોચર ને લીધે આ જાતકો માટે સમય ખુબ સારો રહેશે, પરંતુ ધન ખર્ચ કરવામાં ખાસ ધ્યાન રાખવુ અને બીનજરુરી વ્યય ન થાય તેની કાળજી રાખવી. ખોટા ખર્ચ થી બચીને રહેવુ. નુકશાન થી બચવા માટે રવિવારે વાનર ને ચણા આપી ઉપાય કરી શકાય.

સિંહ રાશિ ના આ ગોચર થી આ રાશિ ના જાતકો ને શુભ ફળ પ્રાપ્ત થશે. ન્યાયિક ફાયદો પણ મળશે. સારો સમય શરૂ થઈ શકે છે, દર રવિવારે વ્રત તેમજ દરરોજ સૂર્યને અર્ધ્ય આપવાથી અધિક લાભ મળશે.

કન્યા રાશિમાં આ ગોચર ને લીધે નુકસાન ભોગવવું પડી શકે છે. અને સાથે સાથે લાભ પણ થઈ શકે છે કારણ કે સૂર્ય વ્ય્યેશ મા હાનિકારક છે જ્યારે મારકેશ માં ફળ પણ આપી શકે છે. સૂર્ય મંગળ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી લાભ મળશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts