Site icon Just Gujju Things Trending

એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારીની આ સ્ટોરી છે, એ ભિખારી દરરોજ સવારે ભીખ માગવા નીકળતો અને ભીખમાં જે મળે તે તેની પાસે રાખેલા એક થેલામાં નાખતો. અને દિવસ પૂરો થાય એટલે ફરી પાછો પોતાની એક નક્કી કરેલી જગ્યાએ પાછો ફરી તેની થેલી સાઈડમાં રાખી થેલીનું ઓશીકુ બનાવી ત્યાં જ સૂઈ જતો.

એક દિવસની વાત છે એ ભિખારી સવારે જાગીને ફરી પાછો નિત્ય ક્રમ અનુસાર ભીખ માંગવા નીકળ્યો, આ ભિખારી ને એક ટેવ હતી જે તેવું અનુસાર જ્યારે પણ સવારે ભીખ માંગવા નીકળે ત્યારે તે પોતાની થેલી ખાલી ના રાખતો, આના માટે તે ભિખારી નું એવું પણ માનવું હતું કે જો બીજા લોકો તેની થેલી જુઓ તો તેને પણ લાગે કે આ ભિખારીને લોકોએ કંઈક આપેલું છે.

તે દિવસે તે ભીખ માંગવા નીકળ્યો ત્યારે તેની થેલી ખાલી હોવાથી આગળ જઈને ઘઉંના દાણા પડ્યા હતા તે દાણા માંથી મુઠી ભરીને દાણા લઇ પોતાની પાસે રહેલી થેલી માં નાખી દીધા.

તે દિવસ તિથિ પ્રમાણે સારો દિવસ હોવાથી ભિખારી મનમાં ને મનમાં એવું વિચારી રહ્યો હતો કે જો ભગવાનની કૃપા રહેશે તો મારી થેલી આજે આખી ભરાઈ જશે. અને તે હજી મનમાં વિચારી રહ્યો હતો ત્યાં સામે અચાનક જ ત્યાંના રાજાની સવારી આવતી હોય એવું માલૂમ થયું.

ભિખારી આ જોઇને એકદમ ખુશ થઈ ગયો અને તરત જ તેને વિચાર્યું કે આજે તો રાજાના દર્શન થઇ ગયા એટલે તેનું દાન મળશે એનાથી આજે તો મારે ઘણું બધું મળશે અને મારી દરિદ્રતા પણ દુર થઇ જશે.

તેનું જીવન જાણે બદલાઈ જવાનું હોય એવી આશામાં તેઉપર આકાશમાં જોઈને ભગવાનનો આભાર માનવા લાગ્યો. જેમ જેમ રાજાની સવારી નજીક આવતી ગઇ એમ ભિખારીની કલ્પનાઓ પણ વધતી જતી હતી અને બીજી બાજુ તે વધારે પડતો ઉત્સાહમાં પણ આવી ગયો હતો.

રાજાની સવારી ત્યાં ભિખારી પાસે આવીને થોડે દૂર ઊભી રહે છે. રાજા તે સવારી માંથી નીચે ઉતરીને ભિખારી પાસે જાય છે, આ બધું જોઇને ભિખારી મનોમન એકદમ ખુશ થઈ જાય છે. પરંતુ રાજા હે તેને કંઈ આપ્યું નહીં અને રાજા એ ભિખારી ની સામે પોતાની કિંમતી ચાદર ફેલાવી નાખી.

આ બધું દ્રશ્ય જોઈને થોડી જ ક્ષણો પહેલાં ભિખારીએ જોયેલા સપના ચકનાચૂર થઈ ગયા. જે રાજાને તે એવું માનતો હતો કે તેના માટે દાન કરવા માટે આવ્યા છે તે રાજા હકીકતમાં તો લેવા માટે આવ્યા હતા, હવે એ ક્ષણે શું કરવું તે ભિખારી ના મનમાં કંઈ સમજ પડી રહી નહોતી.

ભિખારી કાયમ ભીખ માંગતો એટલે રાજા ને શું દેવું એ તો પછીની વાત છે બીજા લોકોને દેવાનું મન તે ભિખારીના થતું જ નહીં. તેની પાસે રહેલી થેલીમાં તેને હાથ નાખ્યો તો સવારે લીધેલા ઘઉંના દાણા તો ઘણા પડ્યા હતા પરંતુ તેનો જીવ જાણે રાજાને ઘઉંના દાણા આપવામાં મુંઝાઇ રહ્યો હતો. તેમ છતાં તેણે જેમ તેમ કરીને રાજાની ચાદરમાં પાંચ જેટલા ઘઉંના દાણા નાખી દીધા.

પછી ત્યાંથી રાજા પણ જતો રહ્યો અને ભિખારી પણ ભીખ માંગવા માટે આગળ જતો રહ્યો, એ દિવસે ભિખારી ને ભીખ પણ ખૂબ જ મળી પરંતુ તે અંદરથી પેલા રાજાને ઘઉંના દાણા આપવા પડ્યા એના રંજમાં જ ખોવાઈ ગયો હતો.

સાંજ થઈ ગઈ સાંજ થયા પછી ભિખારી ફરી પાછો તેની જગ્યા પર પાછો ફર્યો અને થેલીમાં જે કંઈ હતું તે ખાલી કરવા માટે થયેલી ને ઉંધી વાળી તો ભિખારીના આશ્ચર્યનો પાર ન રહ્યો. કારણ કે સવારે તે જે ઘઉંના દાણા લઈને નીકળ્યો હતો એ દાણા તે થેલી માં જ હતા પરંતુ એ બધા દાણામાંથી પાંચ દાણા સોનાના થઈ ગયા હતા.

આ જોઈને તે ભિખારી ને તરત જ સમજાઈ ગયું કે આ બધું તેને મળેલા દાનની મહિમાને કારણે થયું. એ ભિખારી પસ્તાવા લાગ્યો કે જો તેને સવારે રાજા ને બધા ઘઉં આપી દીધા હોત તો અત્યારે બધા ઘઉંના દાણા સોનાના થઈ ગયા હોત.

ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ સ્ટોરી માંથી એટલું તો સમજી જ શકાય છે કે દેવાથી કોઈ વસ્તુઓ ઓછી થતી નથી. લેવા વાળા વ્યક્તિ થી મોટો વ્યક્તિ દેવાવાળો હોય છે. અને કોઈ પણ વસ્તુની માયા કોઈનો પણ સાથ દેતી નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version