Site icon Just Gujju Things Trending

એક માણસની પત્નીએ મરતા મરતા કહ્યું મારા ગયા પછી તમે બીજા સાથે લગ્ન ન કરતા, પતિએ બીજા લગ્ન કર્યા તો એવું થયું કે…

એક માણસની પત્ની અચાનક ખૂબ જ બીમાર પડી ગઈ, ખૂબ જ સારી તબિયત હતી અને ઘરમાં પણ કોઈ જાતનો વાંધો ન હતો પરંતુ અચાનક જ એને કોઈ બીમારી થઈ અને તે ખૂબ જ માંદી પડી ગઈ. ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું પરંતુ આશા નું કોઈ કિરણ નજર આવતું હતું નહીં.

પત્ની હવે આ દુનિયામાંથી જવાનું નિશ્ચિત કરીને જાણે બેઠી હોય તેમ વાતો કરતી હતી મરતા પહેલા એક દિવસ તેને તેના પતિને કહ્યું કે સાંભળો છો હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, તમને છોડીને જવા નથી ઈચ્છતી. પરંતુ આ મારા હાથની વાત નથી પણ હા હું એટલું જરૂર કહેવા માગું છું કે હું એવું જરા પણ ઇચ્છતી નથી કે મારા ગયા પછી તમે મને ભુલાવી દો અને કોઈ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લો.

તમે મને વાદો કરો કે મારા મર્યા પછી તમે કોઈ પણ બીજી સ્ત્રીને પ્રેમ નહીં કરો,. જો એવું કરશો તો મારી આત્મા તમને પરેશાન કરવા માટે આવશે, આટલું કહ્યું અને થોડા જ સમય પછી પત્નીનું દેહાંત થઈ ગયું.

પતિ પણ પત્નીના ગયા પછી ઘણો દુઃખમાં રહેવા લાગ્યો, પરંતુ કહેવાય છે કે સમય જેમ જેમ વીતતો જાય તેમ માણસનું દુઃખ પણ ઓછું થાય છે. ધીમે ધીમે પતિનું દુઃખ પણ ઓછું થવા લાગ્યું અને તે રોજિંદા જીવનમાં પાછો ફરવા લાગ્યો. પરંતુ તેની પત્ની હજુ પણ તેને ખૂબ જ યાદ આવતી મહિનાઓ વિતતા ગયા પરંતુ એ માણસે કોઈ પણ દિવસ બીજી સ્ત્રીની સામે પણ જોયું હતું નહીં.

પરંતુ અચાનક જ એક દિવસ એવું બન્યું કે તેની મુલાકાત અચાનક એક એવી સ્ત્રી સાથે થઈ જેની સાથે તેને ધીમે ધીમે પ્રેમ થવા લાગ્યો.. વાત આગળ વધતી ગઈ અને છેલ્લે વાત લગ્ન સુધી આવી ગઈ. તે સ્ત્રીએ પણ લગ્ન માટે હા પાડી અને બંને લોકોએ લગ્ન કર્યા.

લગ્નના થોડા સમય પછી એક દિવસ રાત્રે પતિ સુઈ રહ્યો હતો ત્યારે તેને જાણે એવું થયું કે તેને કોઈ કંઈક કહેવા માંગે છે, તેને કોઈનો અવાજ સંભળાયો એટલે બેઠો થયો અને આજુબાજુમાં નજર કરી તો તેની પહેલી પત્ની ની આત્મા ત્યાં હતી.

આત્માને કહ્યું તમે મને કરેલો વાદો તોડ્યો છે, હવે હું તમને રોજ પરેશાન કરવા માટે આવીશ. અને આટલું કહીને તે આત્મા ગાયબ થઈ ગઈ.

આ સાંભળીને તે માણસની ઊંઘ તો ઉડી ગઈ પરંતુ તે એકદમ ગભરાવા લાગ્યો, રસોડામાં જઈને પાણી પણ પીધું અને ફરી પાછો સોફા ઉપર બેસીને ચિંતામાં વિચારો કરવા લાગ્યો. તેના આખી રાત ઊંઘ ન આવી. સવારે ઓફિસ જવાનું હોવાથી ઓફિસે પણ ચાલ્યો ગયો.

આ બધી વાત તેને તેની નવી પત્નીને હજુ કરી ન હતી કારણ કે તેને આ બધી વાતોથી તેની નવી પત્ની ચિંતા ન કરે એટલા માટે તેને કશું જ કહ્યું ન હતું. ઓફિસ જઈને રાત્રે પાછો પણ આવી ગયો અને તે રાત્રે પણ જ્યારે સુવા ગયો કે થોડીક જ વારમાં તેને ફરી પાછી કોઈની અવાજ સંભળાઈ.

ગઈકાલની જેમ જ આજે પણ તે આત્માએ આવીને કહ્યું કે હું તમને શાંતિથી નહીં જીવવા દઉં, મને ખબર છે કે આજે તમે તમારી પત્ની સાથે શું વાતો કરી હતી અને તમારા ઓફિસમાં પણ બધા સાથે શું વાતો કરી હતી.? આમ કહીને દરેક વાતો તેને જણાવી દીધી.

અને તેને કહેલી બધી વાતો સાચી હતી, તે માણસ ગઈકાલ કરતા પણ આજે વધુ ગભરાઈ ગયો તેને લાગવા લાગ્યું કે આત્માને તો બધી જ ખબર છે હવે તેનું શું થશે તે ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યો, તેનો એક નજીકનો મિત્ર હતો તેને તેને વાત કરી અને પૂછ્યું કે મિત્ર મારે આવું થાય છે તો શું કરવું.

ત્યારે મિત્રએ તેને એક સરનામું આપ્યું અને કહ્યું કે શહેરથી થોડે દૂર એક નાના એવા ગામડામાં આ સંત રહે છે પરંતુ એની પાસે તારો ઉપાય ચોક્કસથી મળી જશે, તે સંત પાસે જઈને તે માણસે બધી વાત કરી.

સંત તો થોડીક વાર હસવા લાગ્યા પછી બોલ્યા કે ભાઈ તમારી વાતો સાંભળીને મને લાગે છે કે આ ભૂત ખૂબ જ ચાલાક છે, ત્યારે માણસે કહ્યું કે હા તે ખૂબ જ ચાલાક પણ છે અને મને હેરાન પણ કરે છે.

તેને સંત તે જવાબ આપતા કહ્યું કે મારી પાસે આનો ઈલાજ છે પરંતુ હું તને કહું એમ જ તારે કરવાનું છે, માણસ એ કહ્યું કે જો આનાથી આ ઈલાજ થઈ જાય તો હું તમે કહો તે કરવા માટે તૈયાર છું.

તેની પાસેથી ઉપાય સાંભળીને તે માણસ ઘરે જતો રહ્યો અને ત્યારે રાત્રે જ્યારે ફરી પાછી આત્મા આવી ત્યારે તે આત્માને માણસે કહ્યું કે તું ખૂબ જ ચાલાક છે, હું તારાથી કંઈ છુપાવી નથી શકતો અને તમે જેવું ઈચ્છો છો એમ હું મારી નવી પત્નીને છોડવા માટે પણ તૈયાર છું પરંતુ તેના માટે તમારે એક પ્રશ્નનો જવાબ દેવો પડશે જો એ જવાબ તું નહીં આપી શકે તો તારે મારો પીછો કાયમ માટે છોડવો પડશે.

પત્નીના પોતે જવાબ આપ્યો કે મંજુર છે તમે પ્રશ્ન પૂછો.

તે માણસ ત્યાં રૂમમાંથી ઉભો થઈને બહાર ફળિયામાં આવી ગયો અને ફળિયામાં પડેલા ખૂબ જ બધા નાના નાના પથ્થર તેની મુઠ્ઠીમાં લઈ લીધા અને કહ્યું કે કહો મારી મુઠ્ઠીમાં કેટલા પથ્થર છે? બસ આ સવાલ પૂછ્યો કે તરત જ જાણે ચમત્કાર થયો હોય તેમ તેની પત્નીનું ભૂત ગાયબ થઈ ગયું.

તે માણસ તો ખૂબ જ રાજી થઈ ગયો, અને તે રાત્રે તેને ખૂબ જ સારી નિંદર પણ આવી ગઈ. થોડા દિવસો પછી તે સંતનો આભાર માનવા માટે ફરી પાછો તેની પાસે ગયો અને કહ્યું મહારાજ મારો તે ભૂતથી પીછો છોડાવવા માટે ખૂબ જ આભાર પરંતુ હું સમજી ન શક્યો કે આખરે આ એક પ્રશ્ન પૂછવાથી તે કેમ ગાયબ થઈ ગયું?

ત્યારે સંતે કહ્યું બેટા હકીકતમાં કોઈ ભૂત હતું જ નહીં. માણસે કહ્યું અરે શું વાત કરો છો મને તો તે દેખાતું પણ હતું. ત્યારે સંતે કહ્યું હા હું સાચી વાત કરું છું, કોઈ ભૂત હતું જ નહીં, તે જ્યારથી બીજા લગ્ન કર્યા ત્યારથી તને તારા મનમાં જાણે ગુનો કર્યો હોય તેવું લાગી રહ્યું હતું અને એટલા જ માટે તારા મનમાં એક બ્રહ્મની સ્થિતિ પેદા થઈ ગઈ જે તને ભૂતનો અનુભવ કરાવી રહી હતી.

માણસે કહ્યું તો પછી એને મારી બધી વાતો કેવી રીતે ખબર હોય, ત્યારે સંતે કહ્યું કે કારણકે એ તારું જ બનાવેલું ભૂત હતું એટલે જે તું જાણતો હતો તે બધું જ એ પણ જાણતું હતું અને એટલા માટે જ જ્યારે તે તેને પથ્થર વિશે સવાલ પૂછ્યો તો તે ભૂત ગાયબ થઈ ગયું કારણ કે મને ખબર હતી કે તું નીચેથી પથ્થર ઉપાડીશ તો તને ખબર નથી રહેવાની કે કેટલા પથ્થર ઉપાડ્યા અને તને નહીં ખબર હોય તો તે ભૂત પણ તે પ્રશ્નનો જવાબ ન આપી શકે, એટલે તારા મનમાં રહેલા આ ભ્રમમાંથી તું મુક્ત થઈ ગયો.

તે માણસને બધી વાત સમજાઈ ગઈ, સંતને પગે લાગીને આશીર્વાદ લઈને તે ફરી પાછો પોતાની ઘરે પાછો ફરી ગયો.

મિત્રો કદાચ આ સ્ટોરી કાલ્પનિક પણ હોઈ શકે છે પરંતુ, કહેવાય છે કે આપણા દરેક લોકોના મનમાં કોઈ પણ જૂની વાતને લઈને એક ગિલ્ટ ફીલિંગ રહી જાય છે, આ સ્ટોરીમાં ભૂત આવવું તે આવી જ એક ફિલિંગ છે પરંતુ તેની માત્રા ખૂબ જ વધારે છે. પરંતુ આપણા જીવનમાં આપણે ઘણી જૂની ઘટનાઓને યાદ કરીને અફસોસ કરતા રહીએ છીએ, કોઈ વખત આપણે આપણા પોતાના પર પણ ગુસ્સે થતા હોઈએ છીએ. તમારા ભૂતકાળના કારણે તમારા ભવિષ્યને અને વર્તમાનને બગાડવામાં સમજદારી નથી.

અને આમ પણ કહેવામાં આવે છે કે સાચા પ્રેમમાં કોઈ દિવસ બંધન હોતું નથી, સાચો પ્રેમ તો તેના પાર્ટનરને સુખી જોવા માંગે છે, આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવો. અને જો આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર પણ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version