Site icon Just Gujju Things Trending

67 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજ નું અવસાન, મોદી સહિત ઘણી હસ્તીઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નુ 67 વર્ષની ઉંમરે ગઈકાલે નિધન થયું હતું.

જાણવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ અટેક આવ્યો હતો. ત્યાર પછી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

જણાવી દઈએ કે ગઇકાલે મોડી રાત્રે તેમના અવસાનના સમાચાર આવતા, ઘણી રાજનૈતિક હસ્તીઓએ શોક પાઠવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે એક પછી એક ઘણી ટ્વિટ કરી હતી, જેમાં સુષ્મા સ્વરાજ વિશે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ સારા પબ્લિક સ્પીકર હતા અને એક MP તરીકે પણ તેઓ બીજાથી ખૂબ જ અલગ હતા. જુઓ તેને કરેલી ટ્વીટ

આ સિવાય ભારતીય રાજનીતિનું એક ખૂબ જ અભૂતપૂર્વ ચેપ્ટર નો અંત આવ્યો તેવું પણ પ્રધાનમંત્રી એક ટ્વિટમાં લખીને જણાવ્યું હતું. જુઓ તેને કરેલી ટ્વિટ

બોલિવૂડના જાણીતા ગાયક લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું, જેમાં તેને જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજજી નાની ધન વિશે સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું. તેઓ ખૂબ જ પ્રભાવશાળી અને પ્રામાણિક નેતા હતા. જુઓ તેને કરેલી ટ્વિટ…

હાલના રક્ષામંત્રી અને પૂર્વ ગૃહ મંત્રી રહી ચૂકેલા રાજનાથ સિંઘ એ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.

આ સહિત બોલીવુડના પણ ઘણા સેલિબ્રિટીઓએ સુષ્મા જી વિશે દુઃખદ સમાચાર સાંભળીને શોક વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version