ઇન્ડિયન એર ફોર્સ Strike: પાકિસ્તાનમાં જૈશ નો સૌથી મોટો કેમ્પ તબાહ

ઈન્ડિયન એરફોર્સે મંગળવાર ને વધુ મંગલમય બનાવી દીધો છે, પાકિસ્તાનમાં JeM ના સૌથી મોટા કેમ્પને તબાહ કરી નાખ્યો છે. આ હુમલામાં આશરે 200-300 જેટલા આતંકીઓ ને મારી નખાયા છે.

વિદેશ સચિવ ગોખલે એ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને ઘણી વખત પુરાવા આપ્યા હતા, પરંતુ પાકિસ્તાને કોઈ દિવસ કાર્યવાહી કરી નહીં. અને સચોટ ઇન્ટેલિજન્સ ઇન્ફર્મેશન મળ્યા પછી ભારતે JeM ના ઠેકાણે નોન મિલેટ્રી એક્શન કરીને હુમલો કરી નાખ્યો હતો.

વિદેશ સચિવે આગળ જણાવ્યું કે આ સૂચના પછી આતંકીઓ ભારતમાં વધુ આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતા, ભારત ઉપર બીજા ફિદાયીન હુમલા ન થાય એટલા માટે ભારત દ્વારા હુમલો કરવાનું જરૂરી બની ગયું હતું. આથી બાલાકોટમાં JeM ના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કરી દીધો હતો, જેમાં ઘણા મોટા મોટા આતંકીઓ, સિનિયર કમાન્ડર અને જેહાદીઓ ને મારી નાખવામાં આવ્યા હતા.

ભારતે શું કામ હુમલો કર્યો? પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું

વિદેશ સચિવ એ જણાવ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં આતંકી સંગઠન JeM નો હાથ હતો. જે પાકિસ્તાન મૂળ નુ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ સિવાય એવા પણ ઇન્ટેલિજન્સ ઇનપુટ હતા કે આતંકીઓ ભારતમાં એક વખત ફરી પાછો આત્મઘાતી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. આના માટે તેઓ ટ્રેનિંગ પણ આપી રહ્યા હતા. આ આતંકી સંગઠન પાકિસ્તાનમાં પાછલા ૨૦ વર્ષથી આતંકની ગતિવિધિઓ કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. આતંકી સંગઠન નો વડો આંતરરાષ્ટ્રીય ટેરરિસ્ટ છે. આ જ આતંકી સંગઠનનો હાથ સંસદ પર થયેલા હુમલામાં અને પઠાણકોટના હુમલામાં પણ હતો. પાકિસ્તાનને આ સંગઠન વિશે જાણકારી આપવામાં આવી હતી. અને ભારત પણ આ સંગઠન વિરુદ્ધ કાર્યવાહી માટે કાયમ માંગ કરી રહ્યું હતું. વિના પાકિસ્તાનના સંરક્ષણ આટલા બધા જેહાદીઓ પેદા થઇ જ શકે નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts