Site icon Just Gujju Things Trending

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

માતા-પિતા તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે એ વાત સંપૂર્ણ સત્ય છે. અને બાળક તરીકે આપણે પણ નાનપણમાં ઘણી વસ્તુઓ લેવાની માંગણી કરી હોય તો માતા-પિતા તે લઈ આપતા હોય છે. અને એવી જ રીતે કોઈપણ બાળક ને તેના માતા-પિતા દુનિયાની બધીજ ખુશીઓ આપવા માંગે છે કારણ કે માતા-પિતા માટે તેનું બાળક એ જ તેની દુનિયા બની જાય છે.

આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે ઘણી વખત માતા-પિતા બાળકની સારસંભાળ તો રાખે છે પરંતુ અમુક જરૂરી વસ્તુઓ છે તેનાથી બાળક વંચિત રહી જાય એવું પણ બને કારણ કે વધારે પડતી સારસંભાળ રાખવામાં આવે તો સંતાનને બધું તૈયાર મળી જાય તો એ ઘણી વસ્તુઓ શીખવા થી વંચિત રહી શકે છે.

આ સમયની જ વાત કરવામાં આવે તો અત્યારે ઘણા માતાપિતા એવા હશે જે તેના બાળકને સૌથી સારી સ્કૂલમાં એડમિશન અપાવશે, બાળકને કંઈ પણ મહેનત ન કરવી પડે અથવા તેઓ ની જીંદગી ભૌતિક સુખ-સગવડ તમારી અને આનંદથી રીતે તેના માટે બાળકો માટે તેઓ ઘણો ભોગ આપે છે. પરંતુ આપણે એક વસ્તુ વિચારવાની જરૂર છે કે અત્યંત લાડકોડથી અને સારસંભાળ રાખવા થી શું બાળક પર બીજી કંઈ અસર પડી શકે છે?

આ વાતને બરાબર સમજવી હોય તો એક સ્ટોરી અચુક વાચવા જેવી છે, એક વખત બગીચાની સાર સંભાળ કરનારો માળી બગીચામાં કામ કરીને પાસે રહેલી એક બેંચ પર બેઠો હતો. પોતાનું કામ થઈ ગયું હોવાથી તે બેઠો બેઠો બગીચા ને નિહાળી રહ્યો હતો અને બગીચામાં બીજું કંઈ કામ નથી ને એ તપાસી રહ્યો હતો. એવામાં બાજુમાં રહેલા એક વૃક્ષ પરથી એક કોશેટો નીચે આવીને પડે છે. એ કોશેટામાંથી એક પતંગિયું બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું એ પેલો માળી બેઠો બેઠો નિહાળી રહ્યો હતો. માળીનું કામ બધું પૂરું થઈ ગયું હોવાથી તે લગભગ કલાકો સુધી પતંગિયાના બહાર નીકળવાના સંઘર્ષ ને જોઈ રહ્યો હતો.

પછી તે માણસ એ નક્કી કર્યું કે તે પોતે આ પતંગિયાની મદદ કરશે, અને મનમાં નક્કી કરીને આજુબાજુ કોઈ વસ્તુ શોધવા લાગ્યો. બાજુમાં એક લાકડી જવું પડ્યું હતું એ લાકડી લઈને તેણે કોશેટા નો એક ભાગ તોડી નાખ્યો, તેને એટલા માટે તોડી નાખ્યો કે જેથી કરીને પતંગિયું સરળતાથી કોશેટામાંથી બહાર આવી શકે.

તેણે આવું કર્યું તેના પરીણામ સ્વરૂપે કોશેટામાંથી પતંગિયું તો બહાર આવી ગયું પરંતુ તે સંપૂર્ણપણે વિકસિત થયું ન હતું. એક પાંખ પતંગિયામાં હતી જ નહીં. અને પતંગિયા નો એક ભાગ પણ ફુલાઈ ગયો હતો, તે માણસની નજર પતંગિયા પર હતી. પરંતુ પતંગિયુ ઊડી રહ્યું નહોતું, ઘણા સમય સુધી તે માણસ ત્યાં બેસી રહ્યો પરંતુ પતંગિયુ ઊડી જ ન શક્યું.

તે માણસે સામાન્ય રીતે જોઈએ તો પતંગિયાને બહાર નીકળવા માટે મદદ કરી હતી પરંતુ સાથે સાથે એક અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે માણસે પતંગિયાના સંઘર્ષની પ્રક્રિયાને જ ખતમ કરી નાખી હતી અને એટલે જ કદાચ પતંગિયું અવિકસિત રહી ગયું. આ ખૂબ જ સમજવા જેવી વાત છે કે સંઘર્ષ એ આપણી શક્તિને હંમેશા વધારે છે.

આપણા બાળકો ને આ સ્ટોરી સાથે સરખાવવામાં આવે તો આપણા બાળકો પણ પતંગિયા જેવા છે, તેઓના જીવનમાં આવેલા સંઘર્ષ અને તમે જોઈ શકો છો, પરંતુ તેના સંઘર્ષ અને ખતમ કરવાની કોશિશ ન કરવી. એનાથી પરિણામ એ મળશે કે તમારા બાળકોની સંઘર્ષ કરવાની ક્ષમતા જ ઓછી થવા લાગશે અને એવું પણ બને કે તેઓની સંઘર્ષ કરવાની ક્ષમતા જ ખતમ થઈ જાય.

આ સ્ટોરીનો ખૂબ જ સરળ સાર છે કે સંઘર્ષ એ જીવનનો એક ભાગ છે, તે આપણા જીવનને મુશ્કેલીઓથી ભરેલું નહીં પરંતુ તે આપણને સંપૂર્ણ બનાવે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version