Site icon Just Gujju Things Trending

20 કે 30, રાશિ પ્રમાણે જાણો કઈ ઉંમરમાં લગ્ન કરવા તમારા માટે યોગ્ય છે

લગ્ન એ જીવનનો એક એવો તબક્કો છે જે તમારા જીવનને તારી પણ શકે છે અને જીવનને અસ્તવ્યસ્ત પણ કરી શકે છે, એટલે કે દરેક લોકોએ આ તબક્કે ખૂબ સમજી વિચારીને આગળ વધવું જોઈએ કે તેને લગ્ન કરવા યોગ્ય છે કે કેમ. એવી જ રીતનું પાર્ટનરનું પણ છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો રાશી ના મુજબ કઈ ઉમર મા લગ્ન કરવા થી પરફેક્ટ બનાવી શકાય છે તે જાણી શકાય છે.

મેષ રાશિના લોકો જો ઉતાવળે લગ્ન કરી લે તો ઘણા ખરા સંબંધો માં ખલેલ પહોંચી શકે છે જ્યારે મેષ રાશિના લોકોને 25થી 30 વર્ષની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ. કારણકે આ ઉંમર પછી આવા લોકોને મનમાં વિચારોમાં બદલાવ આવવાનું શરૂ થાય છે જેની અસર તેના સંબંધમાં પણ જોઈ શકાય છે.

વૃષભ રાશિના જાતકો સ્વભાવથી તો ખૂબ જ રોમેન્ટિક હોય છે અને તેઓને પોતાના જેવા જ પાર્ટનરની તલાશ હોય છે, આવામાં આ રાશિના લોકો કોઇપણ ઉમરમાં વિવાહ કરે તો તે સંબંધને સારી રીતે નિભાવી જાણે છે.

મિથુન રાશિના લોકોએ થોડી મોટી ઉંમરમાં લગ્ન કરે તો તેઓનો તાલમેલ સારો રહે છે એવું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે, તેની ઉંમર 30 ની આસપાસ હોય તો આ સંબંધ નો તાલમેલ બન્યો રહે છે.

કર્ક રાશિના જાતકોએ ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરમાં લગ્ન કરી લેવા જોઈએ, જોકે આવા લોકોને લગ્ન કરવાની અંદરથી ઉતાવળ પણ રહેતી હોય છે.

સિંહ રાશિના લોકો પોતાનું વૈવાહિક જીવન 23 થી 30 વર્ષની ઉંમરમાં શરૂ કરે તો તેઓના માટે આ વૈવાહિક જીવન સારું નીવડે છે.

કન્યા રાશિના લોકો જેમ પોતાના કામને પરફેક્ટ કરવા ઈચ્છે છે તેવી જ રીતના તેઓનું લગ્નજીવન પણ પરફેક્ટ રહે તેવુ ઈચ્છતા હોય છે. આવામાં જો બહુ વહેલા તેઓ લગ્નના બંધનમાં બંધાઈ તો બંને પાર્ટનર વચ્ચે બોન્ડિંગ રહેતું નથી. આથી એવું માનવામાં આવે છે કે આવા લોકોએ ત્રીસથી 35ની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ.

તુલા રાશિના લોકો 22-23 ની ઉંમર ના થાય ત્યારે સંબંધને નિભાવવા માટે તેઓ કાબેલ બની જાય છે, એનાથી આવા લોકો સંબંધ સારી રીતે નિભાવી પણ શકે છે. આથી આ ઉંમર પછી ગમે ત્યારે લગ્ન કરી શકાય છે.

વૃશ્ચિક રાશિના લોકો પોતાના ભાવી પાર્ટનર માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે, આવા લોકોને પોતાના જીવનના પરફેક્ટ પાર્ટનર ની તલાશ હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓની આ તલાશ ઉમર 30 સુધી ચાલી શકે છે.

ધન રાશિના લોકો ને લગ્ન કરવાનું આકર્ષણ ખૂબ હોય છે, પરંતુ એના કારણે જીવનમાં ખોટો ફેસલો ન લેવાય તેની કાળજી રાખવી જોઈએ. આથી નાની ઉંમરમાં લગ્ન કરતા પહેલા આવા લોકોએ સમજી વિચારીને આગળ વધવું જોઈએ.

મકર રાશિના લોકો થોડા અલગ પ્રકારના જ હોય છે અને આવા લોકોની સૂઝબૂઝને દાદ દેવી પડે એવી ઉત્તમ હોય છે. આથી આ લોકો કોઈ ઉમરમાં લગ્ન કરે તો તેઓ તેને નિભાવી શકે તેટલા કાબીલ હોય છે.

કુંભ રાશિના લોકો 25 પછી લગ્ન કરે તો તેઓના માટે આ ઉત્તમ સમયગાળો છે કારણકે તેઓના પાર્ટનર તરફથી તેની અપેક્ષાઓ જે પ્રમાણે હોય છે તે પ્રમાણે તેઓએ ઉતાવળ કરવી જોઈએ નહીં.

મીન રાશિના લોકોને પોતાની આઝાદી ખૂબ જ પસંદ હોય છે, આથી આવા લોકો બને ત્યાં સુધી લગ્નના બંધનમાં બાંધવા માંગતા હોતા નથી. પરંતુ 30 વર્ષ ની ઉમર પછી આવા લોકો લગ્ન કરવાનું પસંદ કરે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version