જ્યારે પણ જીવનમાં ઉદાસ હોવ ત્યારે આ વાંચી લેજો

સંત પાસે જઈને તેણે સંતને કહ્યું કે મહારાજ મેં લાઈનમાં ઘણા સર્વશ્રેષ્ઠ ફુલ જોયા હતા. પરંતુ મને એવું લાગી રહ્યું હતું કે આનાથી પણ વધુ સારા ફુલ મને આગળ મળશે. પરંતુ છેલ્લે પહોંચ્યો તો ત્યાં લગભગ બધા મુરજાયેલા ફૂલ હતા એની વચ્ચે આ એક થોડું ખીલેલું ફૂલ હતું. એ હું લઈ આવ્યો.

પછી સંતે સમજાવતા કહ્યું કે તું વધારે સારા ફૂલની ઇચ્છામાં લાઈનમાં આગળ વધતો ગયો પરંતુ અંતમાં તને ખબર પડી કે છેલ્લે તો બધા મુરજાયેલા ફૂલ છે, માટે તું આ ફૂલ લઈને આવ્યો. હવે સમજી લે કે છોડમાં રહેલા બધા ગુલાબ તારી જિંદગી છે, અને બધા નાના મોટા ફુલ એ નાની અને મોટી ખુશીઓ છે. તને એવું લાગતું રહ્યું કે આગળ વધુ સારા ફુલ મળશે, અને એની આશામાં તે ત્યાં મોજૂદ રહેલા સારા ફુલ વિશે ગણકાર્યું પણ નહિ. માણસનું જિંદગીમાં આવવુ છે તે મોટી ખુશીઓની રાહમાં જીવનમાં આવતી નાની નાની ખુશીઓ ની કદર કરતો નથી. અને જ્યારે સમજાઈ જાય કે પેલી નાની નાની ખુશીઓ નું શું મહત્વ હતું. ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે.

દરેક માણસ જિંદગીમાં નાની મોટી ખુશીઓ ની કદર કરે તો તેને દુઃખી થવાનો વારો હતો નથી.

આ લેખ ગમ્યો હોય તો પ્લીઝ દરેક સાથે શેર કરજો.