Site icon Just Gujju Things Trending

Breaking: 1000 કિલો બોમ્બ વરસાવ્યા પછી હજુ એક સફળતા, પાકિસ્તાની ડ્રોન ને કચ્છમાં ઉડાવી દીધું

આતંકીઓ દ્વારા પુલવામામાં કરેલા હુમલા પછી આખો દેશ પાકિસ્તાન સામે બદલો ઇચ્છતો હતો. અને પ્રધાનમંત્રીએ આખા દેશની જનતાને સંબોધન આપતી વખતે પણ કહ્યું હતું કે, બદલો જરૂર લેવામાં આવશે. પરંતુ સ્થળ, સમય એ બધું સુરક્ષા બળ નક્કી કરશે. અને આમ કહીને તેને સુરક્ષાબળોને છૂટો દોર આપી દીધો હતો.

જેના પરિણામ રૂપે આજે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ POK માં ઘૂસીને ત્રાસવાદી સંગઠનના કેમ્પને તબાહ કરી નાંખ્યા હતા. જણાવી દઈએ કે આ એર સ્ટ્રાઇકનો ભારતના 12 મિરાજ-2000 ઉડાડવામાં આવ્યા હતા. અને આ એરસ્ટ્રાઈકમાં અંદાજે 350 જેટલા આતંકવાદી ઠાર મરાયા છે. અને તેના કલાકો પછી જ ગુજરાતમાં પણ એક વધુ સફળતા હાથ લાગી છે.

વાત જાણે એમ છે કે ગુજરાતના કચ્છમાં પણ પાકિસ્તાનનું એક ડ્રોન જોવા મળ્યું હતું. જેને ભારત દ્વારા શૂટ કરી દેવામાં આવ્યું છે. ભારતના એર એલર્ટ ડિફેન્સ નલિયા એરબેઝ પાસે એક ડ્રોન જોવા મળ્યું હતું જેનો નાશ કરી દેવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે નલિયામાં ભારતનો એક ફોરવર્ડ એરબેઝ છે અને આનાથી આંતરરાષ્ટ્રીય સીમા પણ નજીક છે.

જણાવી દઈએ કે આ ડ્રોનને સવારે અંદાજે સાડા છ વાગે શૂટ કરી દેવામાં આવ્યું હતું. એટલે કે હુમલાના ૩ કલાક પછી આ ડ્રોન નજરે આવ્યું હતું, જેને હાલ શૂટ કરી દેવામાં આવ્યું છે.

આજે વહેલી સવારે થયેલા હુમલાની દેશમાં ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, ત્યારે લોકો ઉત્સાહમાં ઇન્ડિયન એર ફોર્સ ના ભરપેટ વખાણ કરી રહ્યા છે. અને માત્ર 21 મિનિટમાં ૩૫૦ જેટલા આતંકવાદીઓને મારીને નીકળી જવું એ આપણી સેના જ કરી શકે.

લોકો ચારેબાજુ સેના ના વખાણ કરી રહ્યા છે કે આખરે પુલવામા નો બદલો લેવામાં આવ્યો. પરંતુ અમુક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે આ માત્ર પુલવામાં નો બદલો નહીં પરંતુ આ સંસદમાં થયેલા હુમલાનો, મુંબઈના હુમલાનો, અને પઠાણકોટ ના હુમલાનો બદલો છે.

જણાવી દઈએ કે હુમલા પછી ભારતની સેના શાંત થઈ ગઈ નથી, હજુ પણ દરેક ગતિવિધિઓ પર તેની નજર છે. અને સેનાની ગતિવિધિઓ સતત ચાલુ છે.

Image for Representation Only

આ હુમલો કરવામાં આવ્યો તેનું પણ કારણ વિદેશ સચિવ એ જણાવ્યું હતું. કારણકે આતંકીઓ ભારતમાં બીજો આત્મઘાતી હુમલો કરવાની તૈયારીઓમાં હતા, આથી આ Air Strike જરૂરી હતી. જણાવી દઈએ કે આ strike કરી તે ભારતના ક્ષેત્રથી 50 કિલોમીટરની દૂરી પર છે.

અને હુમલાની ભનક લાગતા પાકિસ્તાની જેટ એર ક્રાફ્ટ ભારત ની પાછળ હુમલો કરવા આવ્યા હતા, પરંતુ ભારતના જેટ ની સંખ્યા જોઈને તેઓ પાછા ફરી ગયા હતા. આથી કહી શકાય કે ઇન્ડિયન એર ફોર્સ પૂરી તૈયારી સાથે ગયું હતું. જેમાં કોઈ પણ કૅઝ્યુઅલીટી થવા પામી ન હતી હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version