જિંદગીમાં ક્યારેય પણ આને પગ અડાડતા નહીં, નહિતર…

આપણી સંસ્કૃતિ પ્રમાણે જ્યાં નવું બાળક જન્મે ત્યાર પછી તેને એક પછી એક બધી વસ્તુઓ શિખડાવવામાં આવે છે અને સાથે સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવતું હોય છે. કારણ કે આપણે ગમે ત્યાં જાય ત્યાં આપણી ફર્સ્ટ ઈમ્પ્રેશન એટલે કે પહેલી છાપ મહત્વ ધરાવે છે. અને જો સંસ્કાર સારા ના હોય તો આપણી આ પહેલી છાપ ખરાબ થઈ શકે છે. એવી જ રીતના સંસ્કૃતિમાં ઘણી વખત આપણને શીખવવામાં આવતું હોય છે કે અમુક વસ્તુઓ અમુક પ્રક્રિયાઓ ક્યારેય જિંદગીમાં કરવી જોઈએ નહીં જેનાથી આપણે પાપનું ભાગીદાર બનવું પડે.

એવી જ રીતના અમુક માન્યતાઓ છે કે અમુક વ્યક્તિઓ ને ક્યારે પણ પગ અડાડવો જોઈએ નહીં. ઘણી વખત લોકો બીજા લોકોને જાણતા કે અજાણતા ઠોકર મારી દે છે પરંતુ જ્યારે આ જાણતા કરવામાં આવે ત્યારે આને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે એની અસરો આપણા જીવનમાં ઘણી ઊંડે સુધી પહોંચી શકે છે. ચાલો જાણીએ કયા લોકોને ભૂલથી પણ પગ અડાડવો જોઈએ નહીં…

આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર છ લોકો ખૂબ જ આદરણીય અને સમ્માનીય હોય છે. તમે કદાચ મોરારી બાપુ નો વિડીયો જોયો હોય તો પણ એ પણ ઘણી વખત કહે છે કે હિન્દુ ધર્મમાં બ્રાહ્મણને પૂજનીય માનવામાં આવે છે. અને બ્રાહ્મણને હિન્દુ ધર્મમાં પૂજનીય મનાતા હોવાથી તેઓનું પગથી સ્પર્શીને અપમાન કરવું જોઈએ નહીં. એવી જ રીતના આપણા ગુરુ પાસેથી આપણને શિક્ષા પ્રાપ્ત થાય છે આથી આપણે તેનું સન્માન કરવું જોઈએ અને ગુરુનું પણ પગનો સ્પર્શ કરીને ક્યારેય અપમાન કરવું જોઈએ નહીં.

અગ્નિ એ પણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે આથી અગ્નિનો પણ કોઈ દિવસ પગથી સ્પર્શીને અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીતના કુવારી કન્યા એ ઘરની લક્ષ્મી ગણાય છે. આથી આનો પણ ધ્યાન રાખવું જોઈએ.

બાળકો એ દરેક ઘરમાં સૌથી પ્રિય હોય છે તેમજ આપણા વડીલો એટલે કે વૃદ્ધો આપણા પૂજનીય માનવામાં આવે છે. આથી આ લોકોનું ક્યારેય પણ પગ થી સ્પર્શ કરીને અપમાન કરવું જોઈએ નહીં. આવું કરવાથી આપણે પાપમાં ભાગીદાર બની જઈએ છીએ. અને આના પરિણામ ખરાબ થી અતિ ખરાબ આવી શકે છે.

ફરી એક વખત જણાવી દઈએ કે બ્રાહ્મણ, ગુરુ, અગ્નિ, કુવારી કન્યા, બાળક, અને વૃદ્ધ આ બધાનું ક્યારેય પગથી સ્પર્શીને અપમાન કરવું જોઈએ નહીં. નહીતો પાપમાં ભાગીદાર બનીને ખરાબ પરિણામ ભોગવવા પડે છે.

જો તમને આવી ધર્મ વિશેની વાતો માં વધુ રસ હોય તો કમેન્ટમાં જણાવજો આથી અમે ધર્મ અને આધ્યાત્મ વિશે નવી નવી અને અજાણી વાતો તમારી સમક્ષ રજુ કરતા રહીશું. જો આ પોસ્ટ પસંદ પડી હોય તો અને શેર કરવાનું ચૂકશો નહીં.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team