આ 5 વાતો મુખ્યત્વે જવાબદાર છે પતિ પત્ની ના સંબંધો માં તિરાડ માટે...

દરેક વ્યક્તિ ના જીવનમાં પ્રેમ નું મહત્વ કેટલુ હોય તે જેને પ્રેમ થયો હોય તે જ સમજી શકે, ખરું ને? એવું જ સંબંધો નું મહત્વ પણ છે, જેમાં પતિ પત્ની નો સંબંધ કે જેને સાત જન્મ સુધી સાથે રહેવાનો વાયદો કરે છે, તે ખાસ મહત્વપુર્ણ હોય છે. પતિ પત્ની ના સંબંધ માં ઘણા નાના મોટા ઝઘડા પણ થતા રહેતા હોય છે, પરંતુ તાલમેલ સરખુ રહેવું જોઈએ. ચાણક્ય દ્વારા થોડી વાતો જણાવાઈ છે જેમાં થોડા કારણો જેના હિસાબે લગ્નજીવનમાં દરાર પડી શકે તેના વિશે જણાવાયુ છે.

પતિ ને પત્ની માટે એક બીજા પ્રત્યે સમ્માન હોવું જરુરી છે, કારણ કે જો નાની વાતમાં પણ પતિ અથવા પત્ની એક બીજાને અપમાનીત કરે તો સંબંધ માં દરાર પડી શકે છે, કારણ કે આવું કરવાથી સંબંધ ની ગરીમા જળવાતી નથી.

પતિ પત્ની જ્યારે એક બીજાની વાતોને એક બીજા સાથે કરે નહીં, અને છુપાવે રાખે ત્યારે સંબંધ જોખમમામ આવી શકે છે, કારણ કે આવા સંજોગોમાં કપલ એક બીજાથી દુર થતુ જાય છે, જેના હિસાબે સંબંધ માં દરાર પડી શકે છે, ઝઘડા થઈ શકે છે, આથી આ વાત નું ધ્યાન રાખવું જોઈએ.

પત્ની ક્યારેક પોતાના જીવનમાં એના પતિ દ્વારા દખલ સહન કરી શકતી નથી, અને ઘણી વખત પત્ની વારંવાર પતિ ને એવું કહે છે કે તેનું જીવન અલગ છે. જેમાં પતિ દખલ કરી શકે નહીં, આવા સંજોગોમાં સંબંધની ગરિમા જળવાતી નથી અને સંબંધ તૂટવાને આરે આવી શકે છે.

ઘણી વખત પતિ કે પત્ની પોતાના જીવનસાથી એટલે કે એકબીજા કરતા વધુ મહત્વ પૈસા ને દેવા લાગે તો તેઓનું સન્માન લાલચ આવી જાય છે, જે સંબંધ માટે જરા પણ સારું નથી. આવુ કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં તિરાડ પડી શકે છે.

આ સિવાય ઘણી વખત વિશ્વાસ કે શક પણ સંબંધમાં તિરાડ પડી શકે છે કારણકે વિશ્વાસ ના હોય તો પતિ-પત્નીમાં ઝઘડા થઈ શકે છે, આમાંના ઘણા ઝઘડાઓ મોટા ઝઘડામાં પરિવર્તિત થઈને સબંધ ની ગરિમાને ઠેસ પહોંચાડી શકે છે. આથી પતિ-પત્નીએ પોતાના સંબંધ વિશે સમજી વિચારીને આગળ વધવું જોઇએ અને એકમેકનું વિશ્વાસ રાખવો જોઈએ.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team