Site icon Just Gujju Things Trending

વૈજ્ઞાનિકો ની પણ સમજ બહાર છે ભારતનું આ રહસ્યમયી શિવ મંદિર

Left Image Credit: By Jean-Pierre Dalbéra from Paris, France - Le temple de Brihadishwara (Tanjore, Inde), CC BY 2.0, Link

ભારત અત્યંત રહસ્યમય દેશ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણકે એવી ઘણી વસ્તુઓ તેમજ જગ્યાઓ છે જે ના રહસ્યો આજ સુધી એટલા ઊંડા છે કે હજી સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. એવી જ રીતનું ભારતનું એક રહસ્યની વાત કરીએ તો ભારતમાં એક એવું શિવ મંદિર છે. જેના રહસ્યો વૈજ્ઞાનિકોની પણ સમજની બહાર છે. અને આપણી સંસ્કૃતિની વાત કરીએ તો આ મંદિર સાબિત કરે છે કે આપણી સંસ્કૃતિ અને વિજ્ઞાન કેટલું આગળ હતું.

ઘણા મંદિરો એવા છે જેના નિર્માણની વાત કરીએ તો લોકો સમજી જ નથી શકતા કે આનું નિર્માણ કઈ રીતે થયું હોઈ શકે, આ સિવાય વૈજ્ઞાનિકો પણ આ સમજવામાં થાપ ખાઈ જતા હોય છે. એવું જ એક મંદિર છે જે તમિલનાડુમાં આવેલું છે.

જી હા, આપણે વાત કરી રહ્યા છીએ એક એવા શિવ મંદિરની જેને લગભગ એક હજાર વર્ષ પહેલાં બનાવાયું હતું. પરંતુ આજે આના જેવું એક પણ મંદિર બનાવી શકાયું નથી. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુના તંજાવુર માં આવેલું છે. આ મંદિરની નિર્માણ કુશળતાને મોટા મોટા આર્કિટેક્ચરો ને પણ ચોકાવી દીધા છે. માનવામાં આવે છે કે આ મંદિર દસમી સદીમાં બનાવાયું હતું.

આ મંદિરનું નિર્માણ રાજા ચોલા એ કરાવડાવ્યું હતું. આ મંદિરની ઊંચાઈ લગભગ 60 મીટર જેટલી છે આ મંદિરને દુનિયાનું સૌથી ઊંચું મંદિર પણ કહેવાય છે.

આ મંદિરની સૌથી ચોકાવનારી વાત એ છે કે આ મંદિરને ગ્રેફાઇટના પથ્થરો કાપી કાપીને બનાવાયું છે. અને આ પથ્થરો ખૂબ સખત હોય છે. અને આજુબાજુની વાત કરીએ તો લગભગ ૬૦ કિલોમીટર સુધીમાં એવા કોઈપણ પર્વતો નથી જેમાંથી આ પથ્થરો મળી શકે.

આ સિવાય આ મંદિર નું સૌથી મોટું રહસ્ય તો એ છે કે આ મંદિરની ઉપર એક પથ્થર રાખેલો છે જેનું વજન ૮૦ હજાર કિલો છે. અને આને કુંબમ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો આજે પણ એ વાતને લઈને માથું ખંજવાળી રહ્યા છે કે આટલો મોટો ભારી પથ્થર આજની ટેકનોલોજી ન હોવા છતાં આટલા મીટર ઊંચે કઈ રીતે પહોંચાડવામાં આવ્યો હતો.

જોકે એક નવી થિયરી અનુસાર એવું પણ કહેવાય છે કે જો આને માટીના રેમ્પ પર બનાવીને જળવાયો હોય તોપણ આ રેમ્પ ની લંબાઈ છ કિલોમીટર હોવી જોઈએ. ત્યારે જઈને આ પથ્થર મંદિરની ચોટી પર પહોંચી શકે.

અહીં જ રહસ્ય નો અંત નથી થતો પરંતુ આ મંદિરમાં નિર્માણ માટે કોઈપણ એવા તત્વો નો ઉપયોગ નથી કર્યો જે મિશ્રણ માટે કરાય છે. જેમકે આ મંદિરમાં સિમેન્ટ અથવા બીજા કોઈ એવા તત્વો નો ઉપયોગ નથી કરાયો જે એકબીજા પથ્થરને જોડી શકે. પરંતુ આ પથ્થરના ટુકડાઓને એવી રીતે કાપવામાં આવ્યા છે કે તેઓ એકબીજા સાથે ફીટ રહી શકે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરમાં કોઈ પણ જાતનો મૂળ નથી એટલે કે મંદિરને નીચે ખોદીને બનાવાયું નથી. અને સપાટ મેદાન પર બનાવાયું છે. અને પાછલા હજાર વર્ષોની વાત કરીએ તો લગભગ લગભગ આઠ એવા મોટા ભૂકંપ આવી ચૂક્યા છે જે આ મંદિરને એક ટકો પણ અસર કરી શક્યા નથી.

આજે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ આટલા આગળ છીએ છતાં પશ્ચિમી દેશોમાં બનેલી ઘણી ઈમારતો સો એક વર્ષમાં જ આડી થવા લાગી છે. ઉદાહરણ તરીકે પિઝા માં રહેલી ત્રાસી ટાવર કહીએ કે ઇંગ્લેન્ડનો બિગ બેન ટાવર.

આ શિવ મંદિર આજે પણ અડીખમ ઉભું છે, અને તે પણ એકદમ સીધું. હજાર વર્ષો પહેલા બનેલું આ મંદિર સબુત છે કે ભારત નું વિજ્ઞાન ત્યારે પણ કેટલું આગલ હતુ.

એવું મનાય છે કે ભારત ના પ્રાચીન વિજ્ઞાન ને ભારત માંથી લુંટવામાં આવ્યુ હતુ અને આજે બીજા દેશો દ્વારા અપનાવા મંડાયુ છે. ભલે તમને તેમ હોય કે પશ્ચિમી દેશો નું વિજ્ઞાન આપણા કરતા વધુ વિક્સીત છે પરંતુ આ મંદિર આ વાત નું સબુત છે કે આપણું પ્રાચીન વિજ્ઞાન અતિ વિક્સીત હતુ.

આવી પોસ્ટ દરરોજ મેળવવા માટે ઉપર રહેલું લાઈક બટન ક્લિક કરી નાખો જેથી તમને આવી પોસ્ટ રોજ મળતી રહે.

Cover Image Source: Wikipedia, credits given in caption.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version