પત્નીને પતિએ કહ્યું મને છાતીમાં દુખે છે એટલે હું હોસ્પિટલ જાઉં છું, પત્નીનું ધ્યાન મોબાઇલમાં હતું. થોડા સમય પછી હોસ્પિટલમાંથી ફોન આવ્યો તો પત્ની…

આ ફોન પૂરો થયો ત્યાં જ મદન ના ઘરે થી એટલે કે રાજસ્થાનથી ફોન આવ્યો તેના પિતાજી ની તબિયત પણ ખરાબ થઇ હતી અને હોસ્પિટલે દાખલ કર્યા છે. એવા સમાચાર આપવા માટે ફોન આવ્યો હતો.

સાંજે અશોકભાઈ નું ઓપરેશન સફળતા થી પતી ગયું એટલે તેઓને એક રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા અને અશોકભાઈ એ જ્યારે આંખો ખોલી ત્યારે જોયું કે તેની સામે તેનો પરિવાર રાખો ઉભો હતો. આ જોઇને પોતે ભાવુક થઈ ગયા અને તેના આંખમાંથી આંસુ નીકળી ગયા તેને પૂછ્યું કે મદન ક્યાં છે?

ત્યારે અશોકભાઈ ની પત્ની એ કહ્યું કે તેના પિતાજી ની તબિયત બહુ ખરાબ છે. અશોકભાઈ ને સાંજે ડોક્ટર હોસ્પિટલના રૂમમાં જોવા આવ્યા ત્યારે કહ્યું તબિયત સુધારા પર છે, હજુ ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રોકાયા પછી તેઓ ને રજા આપી દેવામાં આવશે.

બીજા દિવસે અશોકભાઈ સવારે જાગ્યા ત્યારે સમાચાર મળ્યા કે મદન ના પિતાજી ને હૃદય રોગનો હુમલો આવતા હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડોક્ટર તેને બચાવી ન શક્યા અને તેઓનું અવસાન થઈ ગયું. મદન હવે 15 દિવસ પછી પાછો આવશે.

અશોકભાઈ વિચારમાં પડી ગયા કે એક દીકરો જેમ પિતા ની સેવા કરે એ રીતે મદને તેની સેવા કરી પરંતુ તે પોતાના પિતા માટે કઈ ન કરી શક્યો. પરિવાર ના બધા સભ્યો હાજર હતા, એટલે અશોકભાઈ એ કહ્યું કે એક મોબાઈલ નું વ્યસન આપણને આપણા પરિવાર અને સંતાનો થી કેટલુ દુર કરી શકે છે. એ જો મદન ના હોત તો તમને આજે સમજાઈ ગયું હોત.

કારણ કે મદને મને અહીંયા બચાવ્યો છે તે કામ તમારું બધા નું હતું. પણ કોઈ પોતાનો મોબાઈલ મૂકી ને મારી સામે આવવાનું તો ઠીક મારી સામે જોવા માં પણ તકલીફ પડતી હતી. આ એ જ મોબાઇલ છે જે પરિવાર ના સભ્યો ને એક થઇ ને રહેવા નથી દેતો એટલે હવે ના જીવન માં મોબાઇલ નો ઉપયોગ બહુ જ મર્યાદિત કરવો જોઈએ.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

First Published on justgujjuthings.com

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts