Site icon Just Gujju Things Trending

સુષ્મા સ્વરાજ નો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અડવાણીજી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. જુઓ વિડિયો

મંગળવારે સાંજે સુષ્મા સ્વરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેક આવવાને કારણે થયું હતું. 67 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થયું હતું.

તેઓનું નિધન થયા પછી bollywood, રાજનૈતિક સહિત અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જણાવી દઈએ કે તેના અંતિમ દર્શન કરવા માટે પણ ઘણા રાજનૈતિક હસ્તીઓ હાજર રહ્યા હતા. જેમા પ્રધાનમંત્રી મોદી સહિત, ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં એલ કે અડવાણી પણ મોજૂદ હતા.

અડવાણી અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી આપીને અડવાણીજી અને તેની પુત્રી પ્રતિભા જ્યારે સુષ્મા સ્વરાજ ના પતિ અને તેની દીકરી બાંસુરી ને મળ્યા ત્યારે અત્યંત ભાવક થઈ ગયા હતા.

નીચેના વીડિયોમાં તમે જોઈ શકો છો કે અડવાણીજીના ચહેરા પર ખૂબ જ દુઃખ જણાય છે, અને તેઓ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે આજે સુષ્મા સ્વરાજના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં પુત્રી બાંસુરી એ તેઓને મુખાગ્નિ આપ્યો હતો.

આ સિવાય જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણ ની લાગતી વળગતી સમસ્યાઓનો તરત જ નિકાલ લાવવા માટે જાણીતા હતા.

તેના સોશિયલ મીડિયાના આવા ઉપયોગથી ઘણા બધા લોકો તેના ફ્રેન્ડ બની ગયા હતા અને તેઓ અવાર-નવાર ચર્ચામાં પણ રહેતા હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version