Site icon Just Gujju Things Trending

સવારે ખાલી પેટ ચા પીવો છો? તો એક વખત આ જરૂર વાંચી જજો

સામાન્ય રીતે ઘણા લોકોને સવારે જાગ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે. આમ જોવા જઈએ તો આમાં કોઈ વાંધો નથી, પરંતુ જો ખાલી પેટ ચા પીવામાં આવે તો શરીર માટે સમસ્યા ઊભી થઈ શકે છે. તમને કદાચ અજુગતું લાગશે પરંતુ ખાલી પેટ ચા પીવામાં આવે તો તેના ઘણા નુકસાન થઈ શકે છે. જેમકે ખાલી પેટ ચા પીવાથી શરીરમાં એસિડની માત્રા પણ વધી જાય છે. આયુર્વેદમાં પણ ચા વિષે કહેવાયું છે.

આયુર્વેદમાં ચા સાથે એક બે બિસ્કિટ નું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. પરંતુ માત્ર એસીડીટી જ નહિ ઘણા નુકસાન પહોંચી શકે છે ચાલો જાણીએ તેના વિશે..

આ સાથે આદુવાળી ચા પીવાથી ગેસની સમસ્યા પણ શરીરમાં થઈ શકે છે. આથી આદુવાળી ચા ખાલી પેટ ન પીવી જોઈએ.

ઘણા લોકો ખાલી પેટે બ્લેક ટી પીતા હોય છે. પરંતુ બ્લેક ટી નું સેવન કરવાથી પેટ ફૂલે છે અને પેટ ફૂલવા ને કારણે મોટાપો પણ વધે છે.

જ્યારે ખાલી પેટ ચા પીવામાં આવે અને ખાસ કરીને દૂધવાળી ચા પીવામાં આવે ત્યારે દિવસ દરમિયાન વધુ પડતો થાક લાગે છે. સાથે સાથે મિજાજ પણ ચીડિયો થઈ જાય છે.

ખાલી પેટે ચા પીવાથી ખાસ કરીને પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના વધી જાય છે. આથી જો ખાલી ચા પીવાનું ટાળવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય છે.

ચા મા એવા તત્વો રહેલા હોય છે જેના કારણે ઘણી વખત પીધા પછી ઉલટી મહેસુસ થઇ શકે છે. આ સિવાય અલસર થવાની સંભાવના પણ વધી જાય છે.

આથી બને ત્યાં સુધી ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ. એની જગ્યા પર ખાલી પેટે ઘણા આપી શકાય છે જેનાથી શરીરને ઘણા ફાયદા મળે છે, સાથે સાથે શરીર સ્વસ્થ પણ રહે છે.

આ થયા સવારે ખાલી પેટ ચા પીવાના નુકસાન, પરંતુ જો વધુ પ્રમાણમાં ચા પીવામાં આવે તો તેના નુકસાન શરીરમાં ઘણા બધા પહોંચી શકે છે. આના વિષે પણ આપણે ભવિષ્યમાં જણાવીશું, પરંતુ કોઈપણ વસ્તુનો અતિસેવન સારું નથી. આ વાત આપણા મગજમાં ફિટ બેસાડી દેવી જોઈએ, કારણ કે આપણી ગુજરાતી કહેવત પ્રમાણે પણ કહેવાય છે કે અતિ ની ગતિ નથી. એટલે કે એ બેકાબુ થઇ જાય છે.

આથી આપણા અમૂલ્ય શરીરને બચાવવા માટે આવા નાના ફેરફારો કરવાથી શરીર સ્વસ્થ રહી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version