આ વાર્તા વાંચ્યા પછી તમે ક્યારેય તમારી ભગવાનની શ્રદ્ધા પર શંકા નહીં કરો. અંત સુધી વાંચજો!

સુરતના એક મોટા વેપારી, જેમનું નામ હતું શ્રીકાંત શેઠ. ધન-દૌલતનો તો જાણે એમની પાસે ભંડાર હતો. પરંતુ એનાથી પણ મોટો ભંડાર હતો એમના હૃદયમાં. ભક્તિ અને ધર્મ પ્રત્યે એમની શ્રદ્ધા અફાટ હતી. આમ તો દરેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી જ રહે, પણ એકવાર એમના મનમાં વિચાર આવ્યો કે ચાલો, આ વખતે ભગવાન વિષ્ણુની કથા એટલે કે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ.

કથા પૂરી થઈ, આરતી થઈ અને પછી પૂજારીજીએ શ્રીકાંત શેઠને બોલાવીને કહ્યું, "શેઠ, સત્યનારાયણ ભગવાનની કૃપાથી તો બધું સુખ જ છે. પણ જો પિતૃઓનો મોક્ષ થાય તો એનાથી મોટી શાંતિ કઈ હોઈ શકે? આપ એકવાર શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરો." શેઠે તરત જ માથું હલાવીને હા પાડી દીધી. પૂજારીજીએ જોયું કે શેઠનો ભાવ સાચો છે, તો થોડા દિવસ પછીનું સારું મુહૂર્ત પણ કાઢી આપ્યું.

કથાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ. આખા ગામમાં જાણે ઉત્સવનો માહોલ છવાઈ ગયો. સૌથી મહત્વનું અને અઘરું કામ હતું પ્રસાદીનું. સવારના નાસ્તાથી લઈને રાત્રિના ભોજન સુધી, સેંકડો ભક્તોની ભોજન વ્યવસ્થા સંભાળવી એ કોઈ નાનીસુની વાત નહોતી. આ જવાબદારી એમને બાજુના ગામમાં રહેતા એક મહિલા, જેમનું નામ હતું ચંપાબેન, એમને સોંપી. ચંપાબેન ભલે ગરીબ હતા, પણ એમના હાથમાં જાદુ હતો. એમનું બનાવેલું ભોજન એકવાર જે કોઈ ખાય, એ આંગળા ચાટતો રહી જાય.

કથાનો પહેલો દિવસ આવ્યો. શાસ્ત્રીજીએ કથા શરૂ કરી અને પહેલા જ દિવસે એમણે ગાયત્રી મંત્રનો મહિમા સમજાવ્યો. એમણે કહ્યું કે આ મંત્રમાં એટલી શક્તિ છે કે જો એકાગ્રતાથી એનો જાપ કરવામાં આવે, તો મનુષ્ય સંસારરૂપી સાગરને પાર કરી જાય અને જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય. આ વાત ચંપાબેનના કાનમાં પડી, અને એમના ભોળા મનમાં ઊંડી ઊતરી ગઈ. તેઓ રસોઈ કરતાં કરતાં પણ કથા પર ધ્યાન આપતા હતા, અને શાસ્ત્રીજીના શબ્દો જાણે એમના હૃદયમાં વસી ગયા.

આમ ને આમ, એક પછી એક દિવસ પસાર થતો ગયો. ચંપાબેન સવારથી સાંજ સુધી રસોઈ બનાવતા રહે અને સાથે સાથે કથા પણ સાંભળતા રહે. ખાસ કરીને ગાયત્રી મંત્રનો જે મહિમા શાસ્ત્રીજીએ વર્ણવ્યો હતો, એ એમને સતત યાદ રહેતો. કથાના અંતિમ દિવસે, જ્યારે કથા પૂર્ણ થવાની તૈયારી હતી, ત્યારે ચંપાબેન થોડા વહેલા આવી ગયા. એમણે રસોઈનું કામ પૂરું કરી, હાથ ધોઈ, અને શાસ્ત્રીજી પાસે જઈને નમ્રતાપૂર્વક પ્રણામ કર્યા.

"શાસ્ત્રીજી," ચંપાબેન બોલ્યા, "મારી એક વિનંતી છે."

શાસ્ત્રીજીએ સ્મિત સાથે કહ્યું, "બોલો બેટા, શી વાત છે?"

ચંપાબેને કહ્યું, "હું એક ગરીબ મહિલા છું. આ સાત દિવસ મેં મારા હાથે બનાવેલું ભોજન સેંકડો લોકોને પીરસ્યું છે. આપને વિનંતી કરું છું કે કથા પૂરી થયા પછી આપ મારા ઘરે આવીને પ્રસાદી લ્યો."

આ વાત સાંભળીને શ્રીકાંત શેઠ ગુસ્સે થઈ ગયા. એમણે કહ્યું, "અરે ચંપા! તારા જેવા ગરીબના ઘરે શાસ્ત્રીજી પ્રસાદ લેવા આવે? તું શું ખવડાવીશ એમને?"

પરંતુ શાસ્ત્રીજીએ શેઠને શાંત પાડ્યા. એમણે કહ્યું, "શેઠ, ગુસ્સો ન કરો. આ ચંપાબેન તો સાક્ષાત્ અન્નપૂર્ણા માનું સ્વરૂપ છે. એમણે બનાવેલું ભોજન આટલા બધા લોકોએ પેટ ભરીને ખાધું છે. એમની આ ભાવનાનો અનાદર ન કરાય. બેન, કથા પૂરી થયા પછી હું જરૂર તમારા ઘરે આવીશ."

શાસ્ત્રીજીએ હા પાડી એટલે ચંપાબેનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. સાંજ પડતાં કથા પૂરી થઈ. ચંપાબેન શાસ્ત્રીજીનો હાથ પકડીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં એક નદી આવી, જેમાં પાણીનો પ્રવાહ ઘણો જ તેજ હતો. શાસ્ત્રીજી તો ડરી ગયા, પણ ચંપાબેન તો કંઈ વિચાર્યા વગર, એમનો હાથ મજબૂત રીતે પકડી, ગાયત્રી મંત્રનો જાપ કરતાં કરતાં નદીમાં કૂદી પડ્યા.

શાસ્ત્રીજી તો ગભરાઈને બૂમ પાડી ઉઠ્યા, "અરે પાગલ! આ શું કરે છે? આટલા પાણીમાં આપણે ડૂબી જઈશું!"

પણ ચંપાબેન તો જાણે કોઈ પરવાહ જ ન હોય એમ નદી પાર કરી રહ્યા હતા. થોડી જ વારમાં તેઓ સામા કિનારે પહોંચી ગયા. શાસ્ત્રીજી હજુ પણ ગભરાયેલા હતા, પણ ચંપાબેનના ચહેરા પર શાંતિ અને દિવ્યતા હતી.

"અરે બાઈ," શાસ્ત્રીજીએ ગુસ્સાથી કહ્યું, "આ શું મૂર્ખામી હતી? જો આપણે ડૂબી ગયા હોત તો?"

ત્યારે ચંપાબેને બહુ જ સરળતાથી જવાબ આપ્યો, "શાસ્ત્રીજી, તમે જ તો કહ્યું હતું ને કે એકાગ્રતાથી ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભવસાગર પાર થઈ જાય? મારે તો ખાલી આ નાની નદી જ પાર કરવાની હતી."

આ વાત સાંભળીને શાસ્ત્રીજીની આંખોમાં પાણી આવી ગયા. એમને ચંપાબેનના ભોળાપન અને શ્રદ્ધા પર અદ્ભુત પ્રેમ થયો. તેઓ ચંપાબેનના પગમાં પડી ગયા અને કહ્યું, "બેન, ધન્ય છે તમારી શ્રદ્ધાને! અમે તો માત્ર શાસ્ત્ર વાંચીએ અને લોકોને સમજાવીએ છીએ, પણ તમારા જેવા ભોળા ભક્તોના હૃદયમાં તો સાક્ષાત પરમાત્મા બિરાજે છે. તમારી શ્રદ્ધા આગળ મારું જ્ઞાન પણ નાનું લાગે છે."

ચંપાબેન તો કંઈ સમજી જ ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. શાસ્ત્રીજી ફરી એકવાર એમના પગે પડ્યા અને પછી ઊભા થઈને હસતા હસતા બોલ્યા, "ચાલો મા, હવે બહુ ભૂખ લાગી છે. તમારો પ્રસાદ ખવડાવો."

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team