આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ...

ભારત દેશમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. અને આ મંદિરોમાં લાખો ભક્તો દર્શન માટે મુલાકાત લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો ભક્તો આ મંદિરોની મુલાકાત લેતા હોય છે. મહાદેવના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગે છે.

પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું એવું ચમત્કારિક મંદિર પણ છે જે આખા વર્ષમાં મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

આ સોમેશ્વર નું પ્રાચીન મહાદેવનું મંદિર ની એક ખાસ બાબત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ દિવસે એટલે કે મહાશિવરાત્રીના દિવસે જ ખોલવામાં આવતા હોય છે. મંદિરના દ્વાર સવારે છ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે ખોલવામાં આવે છે. અને જણાવી દઈએ કે પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી વિભાગ ની હાજરીમાં જ મંદિર ખોલવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી મંદિરને બંધ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે આ ચમત્કારિક મંદિર પણ માની શકાય કારણ કે મંદિર બંધ હોય ત્યારે પણ આખા વર્ષ દરમિયાન ભક્તો અહીં આવતા જ રહે છે. મંદિરના દરવાજા ઉપ્પર તાળું લાગેલું હોવા છતાં ભક્તો દ્વારની બહાર થી જ બાબા સોમેશ્વર ની પૂજા કરે છે અને માનતા પણ રાખતા હોય છે. માનતા માનતી વખતે આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર પવિત્ર દોરો અથવા કપડું બાંધતા હોય છે. જેને માનતા પુરી થાય ત્યાર પછી એ બાંધેલા કપડાને ખોલવા માટે આવવું પડે છે.

જણાવી દઈએ કે આ મંદિરને લઈને એક વાત ખૂબ જ પ્રચલિત છે કે અહીં શિવલિંગ ઉપર જ્યારે પણ સૂર્યની કિરણો પડે છે ત્યારે તે જાણે સોનાની જેમ ચમકી ઊઠે છે. એટલું જ નહીં શ્રાવણ મહિનામાં મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. શિવલિંગના જલાભિષેક માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. એક લોખંડની જાડી લગાવીને ભગવાન શિવના દૂરથી દર્શન કરાવવામાં આવે છે અને પાઇપ દ્વારા શિવલિંગને જળ અર્પણ કરવામાં આવે છે.

શું તમે આ મંદિર વિશે જાણતા હતા કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો અને હર હર મહાદેવ પણ લખજો...

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team