આ ઘટના અચાનક બની જવાથી તેનો આખો પરિવાર શોકમાં છે. તેના માતાને હજુ સુધી માનવામાં નથી આવતું કે એનો પુત્ર હવે આ દુનિયામાં નથી, આ સિવાય તેની માતાએ સરકાર પાસે મદદ માંગી હતી કે તેની વહુ કે જેને માત્ર આઠ મહિનાનું બાળક છે તેને સરકારી નોકરી આપવામાં આવે. દલબીર ની પત્નીની પણ રડી રડી ને હાલત ખરાબ થઈ ગઈ છે. તેના પરિવારનું માનવું છે કે આ ઘટના માટે પ્રશાસન જવાબદાર છે.
એવું પણ જણાવાય રહ્યું છે કે મોટાભાગના બાળકો ની મૃત્યુ ટ્રેનની ચપેટમાં નહીં પરંતુ ભાગ-દોડી ના હિસાબે કચડાઈ જવાથી થઈ છે. અચાનક આવી ઘટના બનવાથી ત્યાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઘણા નાના બાળકો તેના માતા પિતા થી અલગ પડી ગયા હતા. અને ભાગદોડમાં તેઓ શિકાર બની ગયા હતા.
News&Image Source: ANI/Twitter
પૃષ્ઠોઃ Previous page