એને વાત હજી પુરી કરી એટલામાં જ તેની ઉપર વડ નું ફળ તેના માથા પર પડ્યુ. આ જોઈને બીજા મીત્ર એ કહ્યુ, “ભગવાન અન્યાયી નથી, આપણો વિચાર જ ખોટો છે. આપણે એવું જ વીચારતા હોઈએ છીએ કે જે આપણને સત્ય લાગે અને સારુ લાગે પરંતુ ભગવાન એ જ વીચારે છે જે આપણા માટે સાચુ હોય. જો એને આ વડ માં તે વિચાર્યુ એમ નારીયેળ જેવડાં ફળ બનાવ્યા હોત તો જ્યારે હમણાં આ ફળ પડ્યુ ત્યારે તારુ માથુ ફાટી ગયુ હોત! એ તો દુરની વાત પણ આ ફળ નીચે પડશે તો એવી બીકે આપણે અહિં આરામ પણ ન કરી શક્યા હોત.”
આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે ભગવાન આવું શું કામ કરે છે, તેવુ શું કામ કરે છે. પરંતુ યાદ રાખો જે પણ થાય તે સારા માટે જ થાય છે. આથી ભગવાન દરેક નિર્ણય નું સમ્માન કરવું જોઈએ.
પૃષ્ઠોઃ પાછળ જાઓ