મનોહર પારિકરના નિધન પછી બોલીવુડે આ રીતે વ્યક્ત કર્યો શોક, અક્ષય કુમારે કહ્યું આવું

ગઈકાલે એટલે કે રવિવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નો નિધન થયું હતું. તેઓ અંદાજે એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેના નિધનથી રાષ્ટ્રભરમાં શોકની લાગણી ફરી ગઈ છે. સરકારે આજે રાષ્ટ્રીય શોકનું એલાન કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી મનોહર પર્રિકર ના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણજી ની BJP ઓફિસમા રખાયા હતા. ત્યારબાદ સવારે 11થી સાંજે ચાર વાગ્યા સુધી તેના સમર્થકો અને સામાન્ય લોકો તેના અંતિમ દર્શન કરી શકશે, જેના માટે તેમના પાર્થિવ શરીરને કલા એકેડમી માં રાખવામાં આવશે. અને તેના અંતિમ સંસ્કાર સાંજે પાંચ વાગ્યે કરવામાં આવશે.

મનોહર પર્રિકર ના નિધન પર રાજનૈતિક હસ્તીઓની સાથે સાથે બોલીવુડ એ પણ શોક વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચનથી માંડીને ઘણા દિગ્ગજોએ ટ્વિટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું હતું કે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર નું નિધન થયું. તેઓ એક જેન્ટલમેન, સાદગીપૂર્ણ વ્યવહાર રાખનારા અને ખુબ જ સન્માનિત વ્યક્તિ હતા. તેના સાથે થોડો સમય વિતાવવાનો મોકો મળ્યો હતો. તેઓ પોતાની બીમારી સાથે બહાદુરીથી લડ્યા.

જુઓ તેને કરેલી ટ્વિટ

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts