મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, દીકરાએ આપી મુખાગ્નિ; જુઓ અંતિમ તસવીરો

ગોવાના મુખ્યમંત્રી અને દેશ માટે પૂર્વ રક્ષા મંત્રી તરીકે રહી ચૂકેલા મનોહર પર્રિકર નું નિધન થતા રાષ્ટ્રીય શોક વ્યાપી ગયો હતો. સોમવારે રાજકીય સન્માન સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના અંતિમ દર્શન કરવા માટે અનેક રાજનૈતિક હસ્તીઓ આવી પહોંચી હતી. જણાવી દઈએ કે તેના દીકરાએ તેને મુખાગ્નિ આપ્યો હતો.

GOA મુખ્યમંત્રીને અંતિમ વિદાય આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગોવા ના રાજ્યપાલ મૃદુલા સિંહા, BJP અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મલા સિતારમણ અને સાથે સાથે ઘણા નેતાઓ ગોવા પહોંચ્યા હતા.

લગભગ એકાદ વર્ષથી કેન્સરથી પીડિત મુખ્યમંત્રી નું નિધન રવિવાર રાત્રે ગોવામાં થયું હતું. સોમવારે તેના અંતિમ દર્શન માટે તેના પાર્થિવદેહને કલા એકેડમી માં રખાયો હતો. જ્યાંથી તેની અંતિમ યાત્રા પણ નીકળી હતી. જણાવી દઇએ કે GOA મુખ્યમંત્રીના બંને દીકરાઓ ત્યાં હાજર હતા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts