ભુલથી પણ જમ્યા પછી ન કરતા આ 6 કામ, નહીં તો પાછળથી પછતાસો

આજકાલની આપણી આદતને લીધે આપણે બીમારીનો ભોગ બનતા હોઈએ છીએ અને અમુક આદતોને સુધારવી જોઈએ. અમુક આદતોને કારણે આપણે રોગોનો શિકાર થઇ જઈએ છીએ જેને અટકાવવા તેમજ અગમચેતી રાખવા માટે ઘણી આદતો સુધારવાની જરૂર છે

આપણી જમવા પછીની અમુક ટેવો એ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી, આપણે આની પહેલા પણ જણાવેલું છે કે રાતના જમ્યા પછી અમુક કામ કરવાથી શરીરને ઘણો ફાયદો મળે છે પરંતુ સાથે સાથે અમુક કામ કરવાથી નુકશાન પણ મળે છે જે આપણે આજે આ લેખમાં વર્ણવવાના છીએ...

આપણામાંથી મોટાભાગના લોકોની વાત કરીએ તો તેઓ ને જમ્યા પછી સૂવાની આદત હોય છે જે આદત ખરેખર શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે ખાધા પછી તરત સૂવાથી ભોજન પચતું નથી. અને તેના કારણે ક્યારેક પેટના રોગો પણ થઈ શકે છે. તદ્દુપરાંત જો થોડા સમય બાદ ડાબા પડખે સૂઈને આરામ કરો તો તે શરીર માટે પાચનમાં ફાયદાકારક છે. કારણ કે ડાબા પડખે સુવાથી પાચન વધુ ઝડપે થાય છે.

જમ્યા પછી જો કોઈ ફળનું સેવન કરવામાં આવે તો તે પણ શરીર માટે જોખમી સાબિત થઇ શકે છે. કારણકે ઘણી વખત ફળ ખાવાથી એસિડિટી વધી જાય છે. અને ગેસની સમસ્યા થઈ શકે છે. આથી ફળ ખાવા માટે જમ્યા પછી નો સમય બરાબર નથી. પરંતુ જમ્યા પહેલા કલાક પહેલા અથવા જમ્યાના 2 કે અઢી કલાક પછી ફળ ખાઈ શકાય છે.

તમને બધાને ખબર જ હશે કે સિગરેટ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. પરંતુ જો જમ્યા પછી તરત સિગરેટ પીવામાં આવે તો તેનું જોખમ વધી જાય છે. કારણકે અમુક લોકોને એવું લાગતું હોય છે કે સિગરેટથી ખાવાનું પચી જાય છે. પરંતુ હકીકતમાં જમ્યા પછી સિગરેટ પીવાથી તેની અસર અનેક ગણી વધી જાય છે. અને સ્વાસ્થ્ય પર વધારે ખરાબ અસર પાડે છે.

જમ્યા પછી પાણી પીવાથી પણ શરીરમાં પાચન ક્રિયામાં તકલીફ પડે છે કારણકે આયુર્વેદમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જમ્યા પછી પાણી પીવું એ ઝેર છે. કારણ કે કારણ કે જમ્યા પછી ભોજન પચાવવા માટે જઠરાગ્નિ માંથી ઉત્પન્ન થતી ઉર્જા પાચન કરવાનું કામ કરે છે પરંતુ પાણી પીવાથી જઠરાગ્નિ જ સમાપ્ત થઈ જાય છે. આથી જમ્યાના અડધો કલાક પછી પાણી પી શકાય છે.

જો જમ્યા પછી નાહવામાં આવે તો પણ તે શરીર માટે પાચનક્રિયામાં ખરાબ અસર પાડે છે કારણકે આવું કરવાથી પેટની આજુબાજુ માં લોહીનો પ્રવાહ વધી જાય છે અને પાચન પણ ધીમો થાય છે આથી જમ્યા પછી ક્યારે પણ નહાવું ન જોઈએ.

ઘણા લોકોને જમ્યા પછી ચા પીવાની ટેવ હોય છે. પરંતુ જણાવી દઈએ કે જ્યારે આપણે જમ્યા પછી ચા પીએ છીએ ત્યારે શરીરમાં ચા ના કારણે એસિડીટી વધવા લાગે છે. આ સિવાય ઘણા લોકો એવું પણ માને છે કે ચા થી પાચનતંત્રમાં એટલે કે ખોરાક પચવામાં ફાયદો રહે છે. પરંતુ હકીકતમાં ચા ને અને પાચનતંત્રને આપસમાં કોઈ સબંધ નથી.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team