જમ્મુ-કાશ્મીરમાં થયેલા IED વિસ્ફોટમાં ઉત્તરાખંડના મેજર શહીદ, ૧૮ દિવસ પછી થવાના હતા લગ્ન...

ગુરુવારે પુલવામામાં થયેલા હુમલામાં 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. અને આખો દેશ આ દુઃખ હજી ભૂલી શકી નથી, અને ભુલવા માંગતો પણ નથી. તેમજ લોકોમાં અત્યારે બદલાની ભાવના આક્રોશથી વધી રહી છે.

એવામાં ઉતરાખંડ ના રહેવાસી મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં તૈનાત થયેલા મેજર ચિત્રેશ બિષ્ટ રાજૌરી ના નૌસેરા સેકટરમાં LOC પાસે તપાસ માટે જઈ રહ્યા હતા. ત્યારે ત્યાં લગાવેલા IED ને ડિફ્યુઝ કરતી વખતે વિસ્ફોટ થઇ ગયો હતો. જેમાં તેઓ શહીદ થઈ ગયા હતા.

મેજર ચિત્રેશ બિષ્ટ ઉત્તરાખંડના નિવાસી હતા. તે શહીદ થયા પછી તેને શહાદત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત ઘણી હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું હતું.

મેજર ચિત્રેશ બિષ્ટ ના પિતા રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેકટર છે. અને સૌથી દુઃખની વાત એ છે કે મેજર ના લગ્ન 7 માર્ચે થવાના હતા, જેના માટે કંકોત્રી પણ છપાઈ ગઈ હતી.

જ્યારે મેજર ના પિતા બપોરે લગ્નના કાર્ડ વહેંચવા ગયા હતા. એવામાં સાંજે મેજર ના દોસ્ત નો ફોન આવ્યો એટલે પરિજનોને મેજર ની શહાદત ના સમાચાર મળ્યા હતા. તેઓ હાલમાં જ 3 ફેબ્રુઆરીએ રજા પરથી ડ્યુટી પર પાછા ગયા હતા. આના પહેલા તેઓ ટ્રેનિંગ માટે ગયા હતા. મેજર ના પિતાએ જણાવ્યું હતું કે તેઓ 28 ફેબ્રુઆરીએ રજા લઈને પાછા ઘરે આવવાના હતા.

પરંતુ તે આવે તે પહેલાં જ આ દુખદ સમાચાર આવી ગયા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી એ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ચિત્રેશ ના બલિદાનને નમન કરીને તેના પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરું છું. સાથે ભરોસો આપું છું કે આ દુઃખદ ઘડીમાં આખો દેશ તેની બાજુમાં ઉભો છે.

આ અત્યંત દુખદ સમાચાર પછી રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત ઘણા લોકોએ તેની પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમજ દરેક લોકોએ તેના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને આ દુઃખદ ઘડીમાં આખો દેશ તેની સાથે છે તેવી ખાતરી અપાવી હતી.

૧૮ દિવસ પછી જ તેના લગ્ન થવાના હતા, પરંતુ આ દુખદ સમાચાર આવવાથી આખો પરિવાર શોકમાં છે.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team