મૃત્યુ સામે ઝઝૂમી રહેલા કાદરખાન માટે અમિતાભ બચ્ચને કહ્યું આવું, જણાવી એક રહસ્યની વાત

જેને 45 વર્ષ સુધી બોલિવૂડમાં પોતાનો અભિનય કરીને લોકોને હસાવ્યા છે તે અત્યારે કેનેડાની એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં બીમાર છે. સોશિયલ મીડિયા પર આની જાણ થતાં લોકો તેના માટે દુઆ માંગી રહ્યા છે, સાથે સાથે અમિતાભ બચ્ચને પણ કાદરખાન માટે દુઆ માંગી છે.

અમિતાભે કાદરખાનની એક તસવીર શેર કરતા લખ્યું હતું કે એક હુન્નર થી ભરેલ અભિનેતા અને લેખક હોસ્પિટલમાં છે. તેની તબિયત માટે પ્રાર્થનાઓ અને દુઆઓ. તેને સ્ટેજ પર પરફોર્મ કરતા જોયેલા છે, તેનું સ્વાગત કરેલુ છે, તેને મારી ફિલ્મ વિશે ખુબ સુંદર લખ્યું છે. તેની સાથે નો સમય અતિસુંદર વીતે છે. એ પણ લિબ્રન છે. અને બહુ ઓછા લોકો જાણે છે કે એ ગણિત ભણાવતા હતા.

એક ચાહકે અમિતાભ અને કાદરખાનની જૂની તસવીરને શેર કરતા લખ્યું હતું કે કાદરખાન ની સ્પીડ રિકવરી માટે પ્રાર્થનાઓ. અમિતાભે આ ચાહકને પોતાના એકાઉન્ટમાંથી રીટવીટ કરીને જણાવ્યું હતું કે પ્રાર્થનાઓ અને દુવા.

કાદર ખાને 1973 માં અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી ઠાકુર જાલિમસિંહ તરીકે ખૂન પસીના ફિલ્મમાં તેને મોટો રોલ મળ્યો હતો જેમાં લીડ રોલમાં અમિતાભ બચ્ચન હતા. જણાવી દઈએ કે આ ફિલ્મના લેખક કાદરખાન પોતે જ હતા.

આ પછી કાદર ખાને અમિતાભની ફિલ્મ લખી હતી અને અભિનયની સાથે તેઓ ડાયલોગ પણ લખતા હતા. અમિતાભની ફિલ્મમાં ઘણી એવી ફિલ્મો હતી જે સફળ રહી હતી તેના ડાયલોગ પણ કાદર ખાને લખ્યા હતા.

આ બન્ને અભિનેતા વચ્ચે ખૂબ જ મધુર અને પ્રેમાળ સંબંધ હતા. ૮૧ વર્ષના અભિનેતા અત્યારે ઘણા સમયથી બીમાર છે, પરંતુ હાલમાં તેને શ્વાસોશ્વાસ ની સમસ્યા ને કારણે વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

બંને અભિનેતા વચ્ચે ના સબંધ માં થોડી કડવાશ પણ આવી હતી જ્યારે અભિનેતા અમિતાભ બચ્ચન મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા હતા. કાદર ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે એમપી બન્યો ત્યારે હું ખુશ ન હતો. કારણકે આ વસ્તુ એવી છે કે જે માણસને બદલીને રાખી દે છે.

આપણે પણ કાદરખાનની તબિયત માં સ્પીડ રિકવરી આવે તે માટે પ્રાર્થના કરીએ...

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team