કેવી રીતે એક માજીને ખુદ ઠાકોરજીએ કરાવ્યા દર્શન, કિસ્સો વાંચવા જેવો છે…

સ્ટોરી ખુબ જ રસ્પ્રદ છે, છેલ્લે સુધી વાંચજો…

ગોંડલમાં એક વૃદ્ધ વૈષ્ણવ રહેતા જેનું નામ સવિતાબા.

અંતરમાં એક જ અભિલાષા વ્રજ પરિક્રમા કરવી છે અને શ્રીનાથજી બાવા ના દર્શન કરવા છે.

પરંતુ સવિતાબાની અભિલાષા મનમાં જ રહી ગઈ હતી.

લકવાથી શરીર જકડાઇ ગયું હતું.

ખાટલે થી નીચે પણ નહોતું ઉતરી શકાતું તો પછી યાત્રાની વાત તો ક્યાં રહી?

પણ મનમાં સવિતાબા ને તાપ એવો કે રાત દિવસ એનું જ ચિંતન કર્યા કરે.

ભક્ત લાચાર થાય ત્યારે એની ભીડ ભાંગવા ભગવાન દોડે છે, યુગયુગથી દોડતા આવ્યા છે તો પછી આવા ભક્ત ને કેમ ભૂલે? અને કંઇક એવો જ ચમત્કાર થયો.

એક બસ વ્રજ યાત્રા અને શ્રીનાથજીના દર્શન માટે જવાની હતી કાર્યકર્તાઓ યાત્રીઓના નામ લખવા માટે નીકળ્યા. ફરતા ફરતા સવિતાબા પાસે આવ્યા અને પૂછ્યું માજી વ્રજ યાત્રા અને શ્રીનાથજીના દર્શન કરવા આવવું છે?

આ શબ્દો સાંભળીને સવિતાબાના આંખમાં ઝળઝળિયા આવી ગયા અને કહ્યું કે ભાઈ જિંદગી આખી ની આ જ અભિલાષા છે. પરંતુ મારી તો આવી પરિસ્થિતિ છે, શું કરું?

કાર્યકર્તા એ કહ્યું, હજુ થોડા દિવસો બાકી છે. કદાચ ઠાકોરજીની કૃપાથી સારું પણ થઈ જાય, લખવા ખાતર નામ લખાવ્યું.

લકવો મટવાનો કોઈ સંભવ તો હતો નહીં. પરંતુ કહેવાય છે ને કે અસંભવને સંભવ કરવાનું શ્રીનાથજી બાવા માટે કાંઈ અશક્ય નથી.

યાત્રામાં જવાને કેટલાક દિવસો બાકી હતા ત્યારે સવિતાબા ને સહેજ રાહત જણાઈ.

જવાના આગલા દિવસે કાર્યકર્તાઓ આવ્યા અને જોયું તો સવિતાબાની હાલતમાં સુધારો જોઈ આશ્ચર્ય પામ્યા અને કહ્યું માજી, તમે આટલું ચાલી શકો છો તો યાત્રામાં ચાલો, અમે સહુ તમારી સેવા કરીશું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts