ઘણા લોકો હસવા પણ લાગ્યા હતા, એવામાં લગ્નમાં હાજર રહેલા એક વડીલે ત્યાં નજીક આવી અને વરરાજા ને સહજતાથી પૂછ્યું કેમ બેટા? તે આવું કેમ કર્યું?
આ પ્રશ્ન સાંભળીને ત્યાં શાંતિ છવાઈ ગઈ બધા લોકો વરરાજાના જવાબની જાણે રાહ જોઈ રહ્યા હોય એ રીતે તેની સામું જોવા લાગ્યા.
વરરાજાએ ઉભા થઇ જવાબ આપતા કહ્યું, આ બીજું કોઈ નહીં પરંતુ આ એ જ છે જે મારા માતા-પિતાનું સન્માન કરશે અને તેઓની સેવા કરવામાં પણ કંઇ બાકી નહીં રાખે. મને પણ હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. મારા વંશને આગળ લઈ જશે, મારા ઘરની લક્ષ્મી પણ એ જ કહેવાશે, ડિલિવરી વખતે અમારા બાળક માટે તે મૃત્યુ નો સ્પર્શ થાય તો તે સ્પર્શ કરીને પણ બાળકને જન્મ આપશે. આ મારા ઘરનો દીપક છે. એ જેવું વર્તન કરશે તેના વર્તનથી જ સમાજમાં મારી ઓળખ થશે. ગમે તેવા ખરાબ સમય કે મુશ્કેલીઓના સમયે તે મારી બાજુમાં ઊભી રહેશે. તેના દરેક સગાઓ થી દૂર થઈ તે મારી પોતાની બનીને રહેશે. એ જો આટલું બધું કરી શકે તો શું આપણે થોડો આદર ન આપી શકીએ? અને જો સ્ત્રીઓને પગે લાગવાથી આ દુનિયા મારી ઉપર હસતી હોય તો એ દુનિયાની મને કોઈ પડી નથી.
માત્ર એક જ શ્વાસમાં અટકાવ્યા વગર આટલું બધું વરરાજા એ કહી દીધું એટલે ત્યાં હાજર રહેલા બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. અને અમુક જ શબ્દોમાં તેને આજે ઘણું સમજાવી દીધું હતું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.