લાલબહાદુર શાસ્ત્રી - વચનપાલન નો બોધ આપતી સત્યઘટના

આપણી આઝાદી વખતે આપણા દેશ પર થયેલા અત્યાચારો ને આજ સુધી લોકો ભૂલી શક્યા નથી. આપણા બધા સ્વાતંત્ર્યસેનાનીઓનો માનીએ તેટલો આભાર ઓછો છે. કારણ કે એના કારણે જ આપણને આઝાદી મળી છે.

આ સ્વાતંત્ર્ય સેનાનીઓનું વર્તન અને જીવન બંને કાયમ પ્રેરણાદાયક રહ્યું છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ કે જે ઘટના લાલબહાદુર શાસ્ત્રી જોડે ઘટી ચૂકી છે. અને આ ઘટના તેની વિચારસરણી નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

લાલબહાદુર શાસ્ત્રી ને જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેનું કારણ એ હતું કે તેઓ સ્વાતંત્ર્ય આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. અને જ્યારે તેઓની ધરપકડ થઈ ત્યાર પછી તેની દીકરી બીમાર પડી હતી. જેથી જેલના સુપ્રિટેન્ડન્ટ પાસે પેરોલ પર છૂટવા માટે લાલ બાદુર શાસ્ત્રી એ તેની પાસે રજા માંગી હતી.

રજા માંગી એટલે સુપ્રિટેન્ડેન્ટ એ કહ્યું કે તમે મને લખીને આપો કે હું કોઈપણ સમારોહમાં કે રાજકીય પ્રવૃતિમાં ભાગ નહીં લઉ.

પરંતુ શાસ્ત્રીજીએ કહ્યું કે લખવાની કોઈ જરુર નથી. મારા વચન પર વિશ્વાસ રાખો. જેલરે વચન પર વિશ્વાસ રાખીને રજા આપી દીધી.

પરંતુ જ્યારે શાસ્ત્રીજી તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ મોડા પડી ગયા હતા, કારણ કે એમની દીકરી અવસાન પામી ચૂકી હતી. માટે સ્મશાન સુધી સાથે રહીને બધી જ વિધિઓ કરીને ઘરે જઈને તેમને સ્નાન કર્યું. અને સ્નાન કર્યા પછી તેઓ તરત જ જેલ જવા રવાના થઇ ગયા.

જો તેઓ ઈચ્છે તો તેઓ પંદર દિવસ ઘરમાં રહી શકે તેમ હતા. કારણ કે પંદર દિવસ નો પેરોલ હતો. પરંતુ તેઓ એક મિનિટ પણ ઘરમાં વધુ ન રોકાયા.

આથી કોઈએ તેમને પૂછ્યું કે તમને પંદર દિવસ મળ્યા છે છતાં કેમ અત્યારે જ જેલમાં જાઓ છો. ત્યારે એમણે એટલો જ જવાબ આપ્યો હતો કે. મારી બીમાર દીકરીની સારવાર માટે પેરોલ મળ્યો હતો. દીકરી જ ન રહી તો હવે જેલમાં પાછા જવાની મારી ફરજ બને છે.

આ ઘટના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય કે ત્યારના આપડા સ્વાતંત્ર્ય સેનાનીઓના સ્વભાવ વિચાર સરણી બંને કઈ રીતના હતા, આ ઘટના માંથી વચનપાલન નો પણ બોધ મળે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team