છોકરા-છોકરીઓમાં સંસ્કાર ન હોય, તેઓ બગડે તો એમાં વાંક કોનો? વાંચો આ કડવું સત્ય!

એક દિવસ સંત તિરુવલ્લુવર પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા બાદ એક ધનિક વેપારી તેમની પાસે આવે બે હાથ જોડી ઉદાસ થઈને બોલ્યો ગુરુદેવ મેં મહેનત કરી મારા એક માત્ર પુત્ર માટે પુષ્કળ સંપત્તિ ભેગી કરી છે. મારો પુત્ર એ પૈસાથી વેપાર કરવાને બદલે તેને વ્યસનમાં વેડફી રહ્યો છે. તેનું જીવન મને બરબાદ થતું દેખાય છે.

સંતે હસીને કહ્યું, “તમારા પિતાએ તમારા માટે કેટલી સંપત્તિ એકઠી કરી તેમને વારસામાં આપી હતી?”

વેપારીએ કહ્યું મારા પિતા તો ખૂબ ગરીબ તેઓ મારા માટે કશું જ નથી મૂકી ગયા.

સંતે કહ્યું તમારા પિતાએ તો તમને કાંઈ નહોતું આપ્યું પણ તમે આટલા સુખી-સંપન્ન છો, આટલી સંપત્તિ તમે તમારા પુત્રને આપી રહ્યા છો છતાં તમને એમ કેમ લાગે છે કે તમારા પુત્રને ખરાબ દિવસો જોવા પડશે?

વેપારી, “ મને તો કોઈ વ્યસન નહોતો પણ મારા પુત્રને તો એવા વ્યસન છે કે જેથી આર્થિક અને શારીરિક બંને નુકસાન થાય છે. મને એ નથી સમજાતું કે મારી ભૂલ થઈ છે?”

ત્યારે સંતે કહ્યું ભાઈ તમારી ભૂલ એ છે કે તમે તમારી આટલી જિંદગી માત્ર ને માત્ર સંપત્તિ એકઠી કરવામાં જ કાઢી. એક પિતા તરીકે તમારે તેના ભણતર ગણતર અને સંસ્કાર ઘડતર પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts