Site icon Just Gujju Things Trending

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ

ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તો ઘણા લોકો નથી માનતા હતા, પરંતુ હકીકતમાં તો આ બધી વસ્તુ મનુષ્યની સમજની બહાર છે. કારણકે આપણે આની ઊંડાણમાં જેટલું જાણી એટલું ઓછું પડે છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર વિષે થોડી વાતો કરવાના છીએ.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક રાશિઓના સમય પ્રમાણે તેઓના સ્વભાવ પરિસ્થિતિ અને જીવન પર અસર કરે છે. ઘણી વખત તમે જોયું હશે કે સામાન્ય દેખાતો માણસ અચાનક જ એવી હરણફાળ પ્રગતિ કરે છે કે આજુબાજુમાં બધા જોતા રહી જાય છે. આમાં એનો હાથ તો હોય જ છે પરંતુ સાથે સાથે જો તેનો સમય બદલાયો હોય તો તેને અનેક ગણો ફાયદો થાય છે.

રોજિંદી જિંદગીમાં ઘણા બદલાવ આવતા રહેતા હોય છે, અને બદલાવ એ જ જરૂરી છે. ઘણા બદલાવ આપણા માટે ફાયદો લાવે છે તો ઘણા બદલાવ નકારાત્મક હોવાથી તમને પરેશાનીઓનો સામનો પણ કરાવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો આપણી રાશિમાં કે ગ્રહ માં દોષ હોય તો તેને અમુક ઉપાયથી દૂર કરી શકાય છે. એવી જ રીતે અમુક મીઠાથી પણ ટોટકા કરી શકાય છે. આજે આપણે એના વિશે વાત કરવાના છીએ

આપણા ઘરમાં કોઇ વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે પાણીની ડોલમાં મીઠું મિક્સ કરીને પછી પોતું મારવું જોઈએ. અને આ સિવાય બાથરૂમમાં નમક નો ટુકડો રાખવાથી પણ વાસ્તુદોષ દૂર થાય છે.

ઘરમાં પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સુખ જાળવી રાખવા માટે ઘરના બેડરૂમમાં સીંધાલુણ મીઠાનો એક ટુકડો જરૂર રાખવો જોઈએ. આનાથી એવી માન્યતા છે કે ઘરમાં કલેશ થતાં નથી તેમજ પરિવાર ના સદસ્યો વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે.

આ સિવાય આર્થિક લાભ માટે જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં પૈસાનો પ્રવાહ બંધ ન થાય તો કાચના એક ગ્લાસમાં મીઠું અને પાણી મિક્સ કરીને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં રાખી દો. અને આ પાણીને દર અઠવાડિયે બદલતા રહેવું.

જો ઘર પર કોઈ પરિવારનું સદસ્ય ગંભીર બિમારીથી પીડાતું હોય તો આ સમસ્યાને દૂર કરવા માટે મીઠાનો આ ઉપાય ખૂબ જ કામ લાગે છે. આના માટે દર્દીના પલંગના હેડ પાસે કાચ ના વાસણ માં મીઠું રાખવું. ધીરે-ધીરે આનાથી એની તબિયતમાં સુધારો આવવા લાગે છે.

આ સિવાય જો તમારી ઉપર શનિદેવની સાડાસાતી નો પ્રકોપ ચાલી રહ્યો હોય તો ક્યારેય પણ ભોજનમાં ઉપરથી મીઠું ખાવું જોઈએ નહીં. અને શનિદેવના પ્રકોપથી બચવા માટે સિંધાલૂણ મીઠાનું દાન કરવું જોઈએ.

આ બધા કરવાથી જીવનમાં ઘણા ફાયદા મળી શકે છે. તો સાથે સાથે અમુક પ્રકોપથી બચવા માં પણ મદદ કરે છે. આથી જો તમને આ ઉપાય કારગર લાગતા હોય તો શેર કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version