ભારતીય સેનામાં ભરતી થશે શહીદ મેજર ની પત્ની, કહ્યું હું તેનો યુનિફોર્મ પહેરીશ

પુલવામામાં થયેલા હુમલા પછી આશરે ૪૫ જેટલા જવાનો થોડા જ દિવસોમાં શહીદ થઈ ગયા હતા. અને શહીદોને શ્રદ્ધાંજલિ આખા દેશે ભાવપૂર્ણ આપી હતી. લોકોની દેશભક્તિ તો જાગી જ હતી પરંતુ દરેક લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે જે દુશ્મન દેશ ના ઇરાદા કરતા ક્યાંય મજબૂત હતો.

જવાનોના પરિવારોને શું ગુમાવ્યું છે તેની તો માત્ર તેઓને જ ખબર પડી શકે છે, પરંતુ આ દુઃખ માં આખો દેશ તેમની સાથે ઉભો છે. તેવું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. અને શહીદના પરિવારોમાં પણ આ હુમલાનો બદલો લેવા માટે ની માંગ મજબૂત હતી, અને ભલે તેને પોતાના પરિવારજનો ગુમાવ્યા પરંતુ તેનામાં દેશભક્તિ છાશવારે પણ ઓછી થઈ ન હતી. એનું એક ઉદાહરણ સામે આવ્યું છે, ભારતીય સેનામાં શહીદ મેજર ની પત્ની ભરતી થશે.

શહીદ મેજર પ્રસાદ મહાદિક ની પત્ની ગૌરી નુ સિલેક્શન આર્મીમાં થઈ ચૂક્યું છે. તેને સેનામાં સામેલ થવા માટે જરૂરી SSB ની પરીક્ષા ક્લિયર કરી નાખી છે. ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમી એપ્રિલ માટેની ટ્રેનિંગ શરૂ થશે. અને જણાવી દઈએ કે તેના પતિની ટ્રેનિંગ પણ આ જ જગ્યાએ થઈ હતી. જણાવી દઈએ કે ટ્રેનિંગ પૂરી થયા બાદ ગૌરી લેફ્ટનન્ટ તરીકે સેના માં જોડાશે.

જણાવી દઈએ કે મેજર અને તેની પત્ની ના લગ્નને હજી બે વર્ષ પણ નહોતા થયા, ત્યાં જ તેના પતિ સહિત થઈ ગયા હતા. તેઓ ૩૧ વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા હતા. ભારત ચીનની બોર્ડર પાસે તેની પોસ્ટિંગ હતી જેમાં તેઓ જ્યાં હતા ત્યાં ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં તેઓ શહીદ થઈ ગયા હતા. હાલ તેની પત્ની કંપની સેક્રેટરી ની નોકરી છોડીને સેના માં જોડાવાની છે.

આર્મી મેજર પ્રસાદ મહાદિક અરુણાચલ પ્રદેશમાં પોસ્ટેડ હતા જ્યાં ડિસેમ્બર 2017 ઉગ્રવાદીઓના હુમલામાં તેઓ શહીદ થયા હતા. અને આના પછી તેની પત્ની નક્કી કરી લીધું હતું કે તે સેનામાં જોડાવા માંગે છે, અને તેના સંબંધિત તૈયારીઓ કરવા લાગી હતી. અને ગૌરવની વાત એ છે કે તેની પત્ની શહીદોની પત્નીઓ માટે આયોજિત થનારી વિશેષ પરીક્ષામાં ટોચનો નંબર પ્રાપ્ત કર્યો.

આના વિષે તેને જણાવ્યું હતું કે પતિ ની શહાદત પછી દસ દિવસોમાં જ તેને વિચારી લીધું હતું કે હવે શું કરવું છે. પછી તેના પતિ વિષે વિચાર્યું અને સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો. અને આ જ નિર્ણયને તેને પોતાનું લક્ષ્ય બનાવી દીધું.

આ વાત કરતી વખતે તે થોડીક ભાવુક પણ થઈ ગઈ હતી પરંતુ તેને ચોખ્ખી ભાષામાં કહી દીધું હતું કે જો તેને મોકો મળશે તો તે પણ દેશ માટે શહીદ થઈ જશે. આપણા દેશમાં આવા દેશભક્તો હોવાને કારણે જ સામાન્ય માણસ સુરક્ષિત છે.

આ સિવાય ગૌરીએ જણાવ્યું હતું કે તેને પરીક્ષા સમયે જે ચેસ્ટ નંબર મળ્યો હતો તે જ ચેસ્ટ નંબર પતિનો પણ હતો. અને એટલું જ નહીં મેડિકલ ટેસ્ટ માં તેને 45 ચેક આપવામાં આવ્યો હતો જે તેના પતિના જન્મ દિવસ એટલે કે 9 છે, અને આ વાત માટે ગૌરી પોતાને નસીબદાર માને છે.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team