ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ - ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું...’

ગઈકાલે થયેલા પુલવામાઆતંકી હુમલામાં CRPF ના 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. એમાં બિહારના ભાગલપુર ના રતન કુમાર ઠાકુર પણ શહીદ થઈ ચૂક્યા છે. તેની ગર્ભવતી પત્ની રાજ નંદિની દેવી ને અફસોસ રહી ગયો કે તે તેના પતિ સાથે જી ભરીને વાત પણ કરી શકી ન હતી. અને તેના પતિ તેના પરિવારને છોડીને ચાલ્યા ગયા.

રતન ની શહીદ થયાના સમાચાર મળ્યા પછી ભાગલપુર શહેરના તેના આવાસ પર લોકો એકઠા થઈ રહ્યા હતા. લોકોએ તેના પરિવારને સાંત્વના તો આપી હતી, પરંતુ ત્યાં મોજૂદ લોકોની આંખો હજુ પણ નમ છે.

ભાગલપુર ના રતનપુર ગામડાના રહેવાસી રતન નો આખો પરિવાર એક ભાડાના મકાનમાં રહે છે. તેના ઘરે જવાન ની પત્ની રાજ નંદિની દેવી અને ચાર વર્ષનો દીકરો પણ છે. તેમજ તેની ગર્ભવતી પત્નીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ બસ થી શ્રી નગર જઈ રહ્યા હતા ત્યારે ફોન પર વાત કરી હતી. પરંતુ રસ્તામાં નેટવર્ક ના કારણે પૂરી વાત થઇ શકી ન હતી. ત્યારે તેઓએ કહ્યું હતું કે શ્રીનગર પહોંચીને વાત કરીશ. તે પછી તેનો ફોન તો ન આવ્યો પરંતુ પિતાજીના ફોન પર આ ખરાબ સમાચાર મળ્યા.

આ સમાચાર સાંભળીને તેનો આખા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તેની પત્નીને કે જે સતત ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી તેને અફસોસ રહી ગયો કે તેના પતિ પોતાના આવનારા બાળક નું મોઢું જોઈ શક્યા નહીં. અને પોતાના દીકરાને ખોવાનો દર્દ પિતા નિરંજન કુમાર ઠાકોર ના ચહેરા પર પણ ચોખ્ખો દેખાય રહ્યો હતો. પુત્રની શહીદ થયા ના સમાચાર આવ્યા પછી નિરંજન ને પોતાની પત્ની ખોયા નો ગમ પણ જીવિત થઈ ગયો હતો.

શહીદ જવાન

તેઓ કહે છે કે રતન એ પોતાની બીમાર માં ને બચાવવા માટે પાણીની જેમ પૈસા વાપર્યા હતા, પરંતુ અમે તેને બચાવી શક્યા ન હતા.

તેઓએ ઉમેર્યુ કે પોતાની માં ને ગુમાવ્યા પછી ભરત અને આખા પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી હતી. પરંતુ આ ઘટના એ રતન ને પણ અમારાથી દૂર કરી દીધો. નિરંજન માત્ર એક તસવીર હાથમાં લઈને બેચેનીથી આમતેમ ઘરમાં ચાલી રહ્યા છે. કારણકે આવનારા લોકો સાથે શું વાત કરવી તેની જ એને ખબર નથી…

સોશિયલ મીડિયા પર પણ આજે ઘણા વીડિયો વાયરલ થયા હતા. જેમાં શહીદોના પરિવારના આક્રોશ અને દુઃખ નજરે આવી રહ્યા હતા. જેમાં એક વિડિયો વાયરલ થયો હતો તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે આ શહીદ જવાનો નો બદલો લો.

રતન નો પરિવાર પણ ઘેરા શોકમાં ડૂબેલો છે. રતન જેવા બીજા 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. હવે આ હુમલાને અનુલક્ષીને દુશ્મન દેશ ઉપર કૂટનીતિ તરીકે કાર્યવાહી તો ચાલુ કરી દીધી છે. અને આપણે પણ આપણી સેના પર પૂરો ભરોસો રાખવો પડશે જેથી આનો બદલો તે લઈ શકે.

Read more

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team

૧૦ વર્ષ સુધી એક જ શર્ટ કેમ પહેરતો હતો આ પિતા? જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે!

દામજીભાઈના હાથમાં રહેલી ચાની કીટલીનું વજન આજે કંઈક વધારે લાગતું હતું. સવારના પાંચ વાગ્યા હતા અને હજુ અંધારું હતું. રસોડાના લાકડાના ટેબલ પર એક ખૂણો થોડો

By Just Gujju Things Team