ગર્ભવતી પત્નીએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યા પતિના છેલ્લા શબ્દ – ‘ શ્રીનગર પહોંચીને ફોન કરું છું…’

ગઈકાલે થયેલા પુલવામાઆતંકી હુમલામાં CRPF ના 40 થી પણ વધુ જવાન શહીદ થયા છે. એમાં બિહારના ભાગલપુર ના રતન કુમાર ઠાકુર પણ શહીદ થઈ ચૂક્યા છે. તેની ગર્ભવતી પત્ની રાજ નંદિની દેવી ને અફસોસ રહી ગયો કે તે તેના પતિ સાથે જી ભરીને વાત પણ કરી શકી ન હતી. અને તેના પતિ તેના પરિવારને છોડીને ચાલ્યા ગયા.

રતન ની શહીદ થયાના સમાચાર મળ્યા પછી ભાગલપુર શહેરના તેના આવાસ પર લોકો એકઠા થઈ રહ્યા હતા. લોકોએ તેના પરિવારને સાંત્વના તો આપી હતી, પરંતુ ત્યાં મોજૂદ લોકોની આંખો હજુ પણ નમ છે.

ભાગલપુર ના રતનપુર ગામડાના રહેવાસી રતન નો આખો પરિવાર એક ભાડાના મકાનમાં રહે છે. તેના ઘરે જવાન ની પત્ની રાજ નંદિની દેવી અને ચાર વર્ષનો દીકરો પણ છે. તેમજ તેની ગર્ભવતી પત્નીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ બસ થી શ્રી નગર જઈ રહ્યા હતા ત્યારે ફોન પર વાત કરી હતી. પરંતુ રસ્તામાં નેટવર્ક ના કારણે પૂરી વાત થઇ શકી ન હતી. ત્યારે તેઓએ કહ્યું હતું કે શ્રીનગર પહોંચીને વાત કરીશ. તે પછી તેનો ફોન તો ન આવ્યો પરંતુ પિતાજીના ફોન પર આ ખરાબ સમાચાર મળ્યા.

આ સમાચાર સાંભળીને તેનો આખા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. તેની પત્નીને કે જે સતત ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી તેને અફસોસ રહી ગયો કે તેના પતિ પોતાના આવનારા બાળક નું મોઢું જોઈ શક્યા નહીં. અને પોતાના દીકરાને ખોવાનો દર્દ પિતા નિરંજન કુમાર ઠાકોર ના ચહેરા પર પણ ચોખ્ખો દેખાય રહ્યો હતો. પુત્રની શહીદ થયા ના સમાચાર આવ્યા પછી નિરંજન ને પોતાની પત્ની ખોયા નો ગમ પણ જીવિત થઈ ગયો હતો.

શહીદ જવાન
વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts