Site icon Just Gujju Things Trending

સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ની આખી રાત જાગતા હતા પ્રધાનમંત્રી મોદી, હવાઈ હુમલાની કરી રહ્યા હતા મોનિટરિંગ

જમ્મુ-કાશ્મીર ના પૂલવામામાં થયેલા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને ત્રાસવાદીઓના ઠેકાણાં ને નષ્ટ કરી નાખ્યા હતા. ભારતીય વાયુ સેના દ્વારા મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યા 12 જેટલા લડાકુ વિમાનો એ પાકિસ્તાનમાં જઈને એર strike કરી હતી. અને વાયુસેનાએ રાત્રે નિયંત્રણ રેખા પાર કરીને આતંકી કેમ્પો નો ખાતમો બોલાવવા 1000 કિલો બૉમ્બ વરસાવ્યા હતા.

આ ઘટનાથી દરેક દેશવાસીઓમાં રહેલી બદલાની ભાવના ને શાંતિ મળી હતી એમ પણ કહી શકાય, કારણ કે આપણા જવાનો ની શહીદીનો બદલો ચોક્કસ લેવામાં આવશે એવું પ્રધાનમંત્રીએ સંબોધ્યું હતું, અને આખરે એરફોર્સ એ બદલો લીધો પણ ખરો.

અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે સમયે એરફોર્સ દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને બોમ્બ વરસાવવામાં આવી રહ્યા હતા, તે સમયે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આખી ઘટના ઉપર નજર રાખી રહ્યા હતા. અને એટલું જ નહીં તેઓ આખી રાત સુતા હતા નહિ.

File Image
Source: Facebook

અને ત્યાં સુધી કે બધા પાયલોટ આતંકવાદીઓના કેમ્પ નો નાશ કરીને ઘરે પાછા વિના નુકસાનને પહોંચી ગયા ત્યારે જ નરેન્દ્ર મોદી રિલેક્સ થયા હતા.

ત્યાર પછી પ્રધાનમંત્રીએ સાડા ચાર વાગ્યા સુધી આ ઓપરેશનમાં સામેલ થયેલા જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી તેઓ પોતાના બીજા દિવસના શિડ્યુલમાં વ્યસ્ત થઈ ગયા હતા. જેમાં 10 વાગ્યે સુરક્ષા મામલે કેબિનેટ કમિટીની બેઠક પણ તેના ઘરમાં ગોઠવવામાં આવી હતી.

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારની દિનચર્યા ઉપર નજર કરીએ તો, સવારે 10 વાગ્યે મંત્રીમંડળની બેઠકમાં સામેલ થયા. જે એક સુરક્ષા મામલે બેઠક હતી. તેના પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ગાંધી શાંતિ પુરસ્કાર માં સામેલ થયા. ત્યાંથી રાજસ્થાનમાં એક રેલીને સંબોધિત કરી. અને ત્યાંથી પાછા દિલ્હી આવીને મેટ્રો મા ઇસ્કોન મંદિરે જઈને દુનિયાની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ ગીતાનું અનાવરણ કર્યું.

આ સ્ટ્રાઈક ની અધિકારીક માહિતીઓ વિદેશ સચિવ ગોખલેએ પ્રેસ બ્રિફિંગ માં આપી હતી. અને આ એક નોન મિલિટરી એકશન હોવા નું જણાવ્યું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version