પુલવામા હુમલાનો લેવાયો બદલો: એન્કાઉન્ટરમાં ઠાર મરાયો માસ્ટર માઇન્ડ

પુલવામામાં થયેલા હુમલાને હજુ પાંચ દિવસ પણ પૂરા નથી થયા. ત્યાં જ શનિવારે મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. અને આ મેજર ના લગ્ન હમણાં જ ૧૮ દિવસમાં થવાના હતા. એવામાં મેજર શહીદ થઈ જતા લોકોમાં દુઃખ અને આક્રોશ વધ્યા હતા.

ત્યાર પછી ગઈ કાલ રાતથી આતંકીઓ સાથે પુલવામામાં સંઘર્ષ યથાવત હતો જેમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. આમાં આપણા એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા હતા. તેમ છતાં આ ઓપરેશનને આગળ હાથ ધરી ને બે આતંકીઓને ઠાર મરાયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં સૈનિકોની શહીદી નો આંકડો 45 પહોંચી ગયો હતો. એટલું જ નહીં હજુ પણ ત્યાં સર્ચ ઓપરેશન જારી છે. જેમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર છે.

પહેલા થયેલા હુમલા પછી બીજા પાંચ જવાનો શહીદ થયા હતા. જેમાં મેજર ચિત્રેશ બિષ્ટ શનિવારે IED ડિફયુઝ કરતી વખતે શહીદ થયા હતા. ત્યાર પછી ગઈકાલ રાતથી શરૂ થયેલા આતંકીઓ સામે ના ફાયરિંગમાં આપણા બીજા ચાર જવાનો શહીદ થયા હતા. જેમાં એક મેજર પણ સામેલ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts