રાહુલ ગાંધીએ કહ્યું, “મસૂદ અઝહર જી”. તો ટ્વિટર પર લોકોએ કહ્યું આવું, જુઓ વિડિયો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન JeM એ સ્વીકારી હતી, જેના સંગઠનના વડા કે જેનું નામ મસૂદ અઝહર છે તેને રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરતી વખતે મસૂદ અઝહર જી કહીને બોલાવ્યા હતા. અને ત્યાર પછી રાહુલ ગાંધીનું આ બયાન ચર્ચાનો વિષય બની ગયું હતું.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ઉપર ધમાસણ મચી ગયું હતું, આખી વાત એમ હતી કે સોમવારે રાહુલ ગાંધી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં પુલવામાં આતંકી હુમલા નો ઉલ્લેખ કરતા ભાજપ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉપર નિશાનો સાધી રહ્યા હતા. એ દરમિયાન તેઓએ ત્રાસવાદી સંગઠન JeM ના વડા ને મસૂદ અઝહર જી કહી દીધું હતું.

અને ત્યાર પછી ભાજપના અધિકારીક ટ્વિટર હેન્ડલ પર થી અને ઘણા રાજનૈતિક હસ્તિઓએ પણ આના વિશે ટ્વીટ કર્યું હતું.

ભાજપના ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે, “ દેશના 44 વીર જવાનો ની શહાદત માટે જવાબદાર આતંકી સંગઠન JeM ના વડા માટે રાહુલ ગાંધી ના મનમાં આટલું સન્માન!”

તો આ સાથે બીજા પણ ઘણા લોકોએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ ત્રાસવાદી પ્રત્યે આવા શબ્દો વાપરવાથી રાહુલ ગાંધીની આલોચના કરી હતી. સાથે સાથે ભાજપના ઘણા નેતાઓએ પણ રાહુલ ગાંધીના આ બયાન ને લઈને ટ્વીટ કર્યું હતું.

જેમાં રવિશંકર પ્રસાદ કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેને કહ્યું હતું કે, “કમોન રાહુલ ગાંધીજી! પહેલા દિગ્વિજયજી એ ઓસામા જી અને હાફિઝ સઈદ સાહેબ કહ્યું હતું, અને હવે તમે મસૂદ અજહર જી કહી રહ્યા છો. કોંગ્રેસ પાર્ટીને શું થયું છે?”

રાહુલ ગાંધી ના બયાન પછી ટ્વિટર ઉપર #RahulLovesTerrorists હેશ-ટેગ ટ્રેન્ડ થઈ ગયો હતો, અને આ હેશ-ટેગ પર આશરે ૭૫ હજારથી પણ વધુ ટ્વીટ થઈ હતી.

કોઈપણ આતંકી માટે આ પ્રકારના શબ્દો વપરાવા જોઈએ કે નહીં? તમારો અંગત અભિપ્રાય કમેન્ટમાં રજુ કરજો...

જુઓ વિડિયો-

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team