પાકિસ્તાનની તરફેણમાં બયાન સિદ્ધુને પડી ગયું ભારી, કપિલના શો માંથી હકાલપટ્ટી

ગુરુવારે થયેલ પુલવામા આતંકી હુમલા પછી નવજોતસિંહ સિધ્ધુએ વિવાદિત બયાન આપ્યું હતું જે પાકિસ્તાનને બચાવવાની કોશિશ હોય તેવું લાગી રહ્યું હતું. તેને બયાનમાં કહ્યું હતું કે કોઈપણ દેશને ટેરરિસ્ટ ની આ ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. અને તેણે જણાવ્યું હતું કે આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી. અને એમ પણ કહ્યું હતું કે દરેક સંસ્થા, દરેક દેશમાં આતંકીઓ રહેલા છે. આતંકીઓને સજા આપવી જોઈએ પરંતુ આખા દેશને આ ઘટનાની જવાબદાર માની શકાય નહીં.

આવુ વિવાદિત આપ્યા પછી ટ્વિટર ઉપર સિદ્ધુની હકાલપટ્ટી કરવા માટે જાણે એક મોમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. અને ધીમે ધીમે એક પછી એક એમ લાખો લોકોએ ટ્વિટ કરી હતી. અને લોકોએ તેને કપિલના શો માંથી કાઢી મુકવાની સલાહ આપી હતી. તેમજ લોકોએ ત્યાં સુધી પણ કહ્યું હતું કે જો કપિલના શોમાં થી નવજોત સિંહ સિદ્ધુની હકાલપટ્ટી નહીં થાય તો લોકો આ શો જોવાનું બંધ કરી દે એવી ધમકીઓ આપી હતી.

જેના પગલે હવે કપિલના શો માંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. અને તેની જગ્યા પર અર્ચના પૂરણસિંઘ ને શોમાં બોલાવવામાં આવ્યા છે.

આવા વિવાદિત બયાન પછી સોશિયલ મીડિયા પર ચારે બાજુ તેની આલોચના કરવામાં આવી હતી. અને ત્યાં સુધી કે લોકો એ કપિલ ને પણ ટ્વિટ કરીને આના વિષે જણાવ્યું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts