પાકિસ્તાનની તરફેણમાં બયાન સિદ્ધુને પડી ગયું ભારી, કપિલના શો માંથી હકાલપટ્ટી

આવું પહેલી વખત નથી બન્યું કે કપિલ શર્મા શો માં નવજોતસિંહ સિધ્ધુ ની જગ્યાએ બીજું કોઈ હોય. વર્ષ 2017માં પણ નવજોતસિંહ સિધ્ધુ માંદા પડ્યા હોવાથી તેની જગ્યાએ અર્ચના પૂરણસિંઘ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.

આ ઘટના પરથી સમજી શકાય કે પાકિસ્તાનની તરફેણમાં કમેન્ટ કર્યા પછી સિધ્ધુ ને આ બયાન ભારી પડી ગયું છે. એટલું જ નહીં જ્યારે આખો દેશ અને વિપક્ષ પણ ખુદ સરકારની સાથે ઊભા રહીને ત્રાસવાદની સામે લડવાની વાત કરી રહી છે ત્યારે પાકિસ્તાન ના બચાવમાં આવી આવું વિવાદિત બયાન આપીને સિધ્ધુ એ જાણે પોતાના પગ પર કુહાડી મારી દીધી છે.

અને આની પહેલા પણ તેઓએ આવા વિવાદિત બયાન આપીને દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. એટલું જ નહીં તેઓ હમણાં પાકિસ્તાનમાં ગયા ત્યારે તેના આર્મી ચીફને ગળે પણ મળ્યા હતા જે બાબતની ભારતમાં ખૂબ આલોચના થઈ હતી.