ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે! વાંચો

પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મુકવામાં આવે ગરમ થતા તાપમાન 98 ડિગ્રી થાય 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય?
.
.

હા તમે વિચાર્યું એ સાચું હતું, પાણી ઉકળે જ નહીં.

જો પાણીને ઉકાળવાનો હેતુ હોય તો એને 100 ડિગ્રી તાપમાન સુધી તો ગરમ કરવું જ પડે.

આવું જ કંઇક છે આપણે હાથ પર લીધેલા કામનું, શું એ કાર્યમાં સો ટકા ભરોસો છે પોતાની જાત પર? એટલો વિશ્વાસ છે કે એ કાર્ય ગમે તેવી મુશ્કેલ હોય તો પણ એ પાર પડશે જ? એટલી છલોછલ આત્મશ્રદ્ધા છે કે એ કાર્ય સફળ થઈને જ રહેશે?

વનસ્પતિમાં પણ જીવ છે એવું સત્ય જગદીશચંદ્ર બોઝ એ જાહેર કર્યું, ત્યારે એ ઘણા વિજ્ઞાનીઓ ને ગમ્યું ન હતું. અને એની વાતને માનવા તૈયાર જ નહોતા. જગદીશ ચંદ્ર બોઝ એક સભામાં એમના સંશોધન અને તારણની વાત રજુ કરતા હતા ત્યારે એના એક વિરોધી વિજ્ઞાનીએ જગદીશચંદ્ર બોઝ ને પડકાર ફેકયો.

એણે કહ્યું જો વનસ્પતિ માણસની જેમ જીવવું હોય તો માણસના શરીર પર જેવી અસર થાય એવી અસર વનસ્પતિ પર પણ થવી જોઈએ. માણસને ઝેર આપો તો એના ગાત્રો શિથિલ થઈ જાય, એ જ રીતે વનસ્પતિને ઝેર આપવાથી એનામાં શિથિલતા આવી જાય ખરી?

જગદીશ ચંદ્ર બોઝ એ કહ્યું જેવી લાગણી અને સંવેદના માણસ અનુભવે એ વેદના વનસ્પતિનેય થતી હોય છે. એના પર ઝેરનીય અસર થાય જ.

આ વાત સાબિત કરવા પહેલાં વૈજ્ઞાનિકે ઝેરની એક પડીકી બોઝને આપી. ઇન્જેક્શન વડે એ ઝેરને વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું. બધા લોકો આ પ્રયોગ જોતા હતા પણ વનસ્પતિ પર કશી અસર થઈ નહીં એટલે પેલો વૈજ્ઞાનિક તો ગેલમાં આવીને કહેવા લાગ્યો કે શ્રીમાન બોઝ નો સિદ્ધાંત બેબુનિયાદ અને પાયા વિહોણો છે.

જગદીશ ચંદ્ર બોઝ જ કહ્યું મારો સિદ્ધાંત છે જે ખોટો નથી. ખોટું તો આ ઝેર છે. ઝેર સાચું હોત તો વનસ્પતિને જરૂર અસર થઇ હોત. ખોટા ઝેરની અસર એના પર ન થાય.

કોઈએ કહ્યું કે એ ઝેર ખોટું છે એ પારખ્યા વગર તમે કેમ કહી શકો.

ત્યારે જગદીશચંદ્ર બોઝ એ કહ્યું કે મને મારા પ્રયોગમાં શ્રદ્ધા છે મારા તારણ પર ભરોસો છે અને મારી જાત પર વિશ્વાસ છે. આજે ખરેખર ઝેર નથી જ. એટલું કહી એમણે પડીકી માંથી વધેલું ઝેર પોતાના મુખમાં મૂક્યું, પણ કશું જ ન થયું.

પેલા વિજ્ઞાનીએ પણ કબુલ કર્યુ કે બોઝને પરાસ્ત કરવા માટે થઈને ઝેર ને બદલે પડીકીમાં ભળતો ઝીણો ભૂકો જ આપ્યો હતો. એની આવી તરકીબ સામે જગદીશચંદ્ર બોઝના આત્મશ્રદ્ધાનો વિજય થયો.

આત્મ શ્રદ્ધાનું બળ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવા માટે પ્રેરણા આપે છે.

એટલે જ કહેવાય છે કે આત્મ વિશ્વાસ હોય તો ગમે તે કરી શકાય છે, મન થી પર્વત પણ ડગાવી શકાય છે! સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો.

અને આ લેખ ને લાખો લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપ માં શેર કરજો. આ લેખ તમને પસંદ પડ્યો હોય તો 1 થી 10 માં રેટીંગ કમેન્ટમાં આપજો!

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team